Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા પોલીસ અધિકારીના પુત્રએ તળાવમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરતા ચકચાર, શોધખોળ શરૂ

  શહેર નજીક આવેલા ઉંડેરા ગામના તળાવમાં કારેલીબાગ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ પડતું મુકીને આપઘાત કરી લેતા તંત્રમાં ચકચાર મચી છે. આપઘાત કરવા નિકળેલા 23 વર્ષીય યુવાને આત્મહત્યા કરવા જતા પહેલા ઘરે પત્ર પણ છોડ્યો હતો. જેમાં હું ઉંડેરા તળાવમાં આત્મહત્યા કરવા જઇ રહ્યો છું તેવું લખાણ કર્યું હતું. જો કે પોલીસ પુત્રએ કયા કારણથી આપઘાત કરવો પડ્યો તે અંગેની હજી સુધી કોઇ જ માહિતી મળી નથી. હાલ ફાયર બ્રિગેડ દ્વારા યુવકની શોધખોળ ચલાવાઇ રહી છે. વરસાદી પાણીથી છલોછલ હોવાથી મોડી સાંજ સુધી યુવાન મળ્યો નથી. 

વડોદરા પોલીસ અધિકારીના પુત્રએ તળાવમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરતા ચકચાર, શોધખોળ શરૂ

વડોદરા :  શહેર નજીક આવેલા ઉંડેરા ગામના તળાવમાં કારેલીબાગ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ પડતું મુકીને આપઘાત કરી લેતા તંત્રમાં ચકચાર મચી છે. આપઘાત કરવા નિકળેલા 23 વર્ષીય યુવાને આત્મહત્યા કરવા જતા પહેલા ઘરે પત્ર પણ છોડ્યો હતો. જેમાં હું ઉંડેરા તળાવમાં આત્મહત્યા કરવા જઇ રહ્યો છું તેવું લખાણ કર્યું હતું. જો કે પોલીસ પુત્રએ કયા કારણથી આપઘાત કરવો પડ્યો તે અંગેની હજી સુધી કોઇ જ માહિતી મળી નથી. હાલ ફાયર બ્રિગેડ દ્વારા યુવકની શોધખોળ ચલાવાઇ રહી છે. વરસાદી પાણીથી છલોછલ હોવાથી મોડી સાંજ સુધી યુવાન મળ્યો નથી. 

RAJKOT અકસ્માત એટલો ગંભીર કે આગળ બેઠેલા બંન્ને વિદ્યાર્થીઓના કટકા થઇ ગયા, પરિવારના આક્રંદથી પથ્થર પણ પીગળી જાય

વડોદરા પોલીસમાં ASI તરીકે ફરજ બજાવતા લક્ષ્મીનાથ પવારના પુત્ર નિરજ પવારે ઉંદેરા ગામના તળાવમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. નિરજ પવારે ઘરેથી નિકળીને ઉંડેરા તળાવના કિનારે ચપ્પલ ઉતારીને કુદકો લગાવ્યો હતો. ઘટના અંગે માહિતી મળતા તત્કાલ ફાયરની ટીમ તળાવ ખાતે પહોંચી હતી. તળાવમાં યુવકને શોધવા માટેની કામગીરી હાથ ધરી હતી. તળાવના કિનારેથી યુવાનના ચપ્પલ મળી આવ્યા હતા. જે કબ્જે કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં કોરોનાના માત્ર 17 કેસ, 42 દર્દી સાજા થયા એક પણ મોત નહી

ઉંડેરા તળાવમાં ભુસ્કો મારનાર 23 વર્ષીય નિરજ પવારના પિતા લક્ષ્મીનાથ પવાર વડોદરા પોલીસમાં ફરજ બજાવે છે. જો કે પુત્રએ આત્મહત્યા શા માટે કરી તે અંગે સમગ્ર પરિવાર પણ અજાણ છે. અત્રે નોંધનીય છેકે આ યુવાન ઘરે જ હતો કોઇ કામ ધંધો કરતો નહોતો. જેથી દેવું થાય કે તેવું કંઇ પણ નહોતું. તો આત્મહત્યા શા માટે કરી તે અંગે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More