Home> Spiritual
Advertisement
Prev
Next

Astrology: 30 વર્ષ પછી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે સૂર્યની જેમ, વર્ષ 2024 માં રૂપિયાનો રીતસર થશે વરસાદ

Astrology: વર્ષ 2024 માં શુક્ર કુંભ રાશિમાં ભ્રમણ કરશે જ્યાં પહેલાથી જ શનિ ગોચર કરી રહ્યો છે. કુંભ રાશિમાં શનિ વર્ષ 2025 સુધી ભ્રમણ કરશે. જ્યારે શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે 30 વર્ષ પછી એવો સમય આવશે જ્યારે શુક્ર અને શનિ વચ્ચે મિત્રતાનો ભાવ રહેશે. શુક્ર અને શનિની આ યુતિ ચાર રાશિના લોકોનું ભાગ્ય ચમકાવશે.

Astrology: 30 વર્ષ પછી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે સૂર્યની જેમ, વર્ષ 2024 માં રૂપિયાનો રીતસર થશે વરસાદ

Astrology: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ ગોચર કરે છે તો તેનો પ્રભાવ દરેક રાશિના લોકોના જીવન પર જોવા મળે છે. તેવામાં 30 વર્ષ પછી બે ગ્રહોની એવી યુતિ સર્જાવવા જઈ રહી છે, જે વર્ષ 2024 માં કેટલીક રાશિના લોકોનું ભાગ્ય બદલી નાખશે. શનિ અને શુક્રની યુતિ 30 વર્ષ પછી વર્ષ 2024 માં સર્જાશે. જેના કારણે ત્રણ રાશિના લોકો આ વર્ષમાં ધનવાન બની શકે છે. 

વર્ષ 2024 માં શુક્ર કુંભ રાશિમાં ભ્રમણ કરશે જ્યાં પહેલાથી જ શનિ ગોચર કરી રહ્યો છે. કુંભ રાશિમાં શનિ વર્ષ 2025 સુધી ભ્રમણ કરશે. જ્યારે શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે 30 વર્ષ પછી એવો સમય આવશે જ્યારે શુક્ર અને શનિ વચ્ચે મિત્રતાનો ભાવ રહેશે. શુક્ર અને શનિની આ યુતિ ચાર રાશિના લોકોનું ભાગ્ય ચમકાવશે.

શુક્ર-શનિની યુતિ આ 4 રાશિઓ માટે લાભકારી

આ પણ વાંચો: એલચીને પીળા કપડામાં બાંધી કરી લો આ ઉપાય, રૂપિયા ગણતા ગણતા થાકશો એટલી થશે આવક

મેષ રાશિ

કુંભ રાશિમાં શુક્ર અને શનિની યુતિથી મેષ રાશિના લોકો માટે આવનારું વર્ષ ખૂબ જ શુભ રહેવાનું છે. આ વર્ષ દરમિયાન લાભની ઘણી તકો સર્જાશે. આ રાશિના લોકો આવકમાં વધારો અનુભવ કરશે. બચત પણ કરી શકશે. હાલ જો તમારી નોકરી કે વેપારમાં કોઈ સમસ્યા છે તો તેનું નિરાકરણ આવી જશે. આ વર્ષ એવું હશે ત્યારે તમને ચારે તરફથી શુભ સમાચાર મળશે.

વૃષભ રાશિ

આ રાશિના દસમા ભાવમાં શુક્ર અને શનિનું મિલન થશે જેના કારણે આ રાશિના લોકોના અટકેલા કામ પૂરા થવા લાગશે. આ લોકોને તેમની કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત થશે. નોકરીમાં પ્રમોશન મળશે. વેપારીઓને પણ જબરદસ્ત નફો થતો જોવા મળે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો.

આ પણ વાંચો: સાત પેઢીની ગરીબી દુર કરી દેશે તુલસીનો આ ચમત્કારી ઉપાય, પેઢી દર પેઢી વધશે સુખ-સમૃદ્ધિ

મિથુન રાશિ

આ રાશિના નવમાં ભાવમાં શુક્ર અને શનિનું મિલન થશે. જેથી આ સમયે આ રાશિના લોકો માટે વિશેષ લાભકારી રહેશે. આ રાશિના લોકો પર ભાગ્ય મહેરબાન રહેશે. આ સમય દરમિયાન તીર્થયાત્રા પર પણ જઈ શકો છો. આ સમય દરમિયાન પિતૃઓનું તર્પણ કરશો. શુક્ર અને શનિ નું મિલન આ રાશિના લોકોને વિશેષ લાભ કરાવશે.

સિંહ રાશિ

શુક્ર અને શનિની યુતિ સિંહ રાશિના સપ્તમ ભાવમાં થશે. આ ગ્રહોનું મિલન સિંહ રાશિના લોકોને પણ શુભ ફળ આપશે. જોકે આ સમય દરમિયાન પોતાના જીવનસાથીનું ખાસ ધ્યાન રાખો. તેમનું સન્માન કરો. તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. ભાગીદારીમાં વેપાર કરતા હોય તો સતર્ક રહેવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More