Home> Spiritual
Advertisement
Prev
Next

વૈવાહિક જીવનમાં હોય સમસ્યા તો શુક્રવારે આ મંત્ર કરો 108 વખત જાપ, દાંપત્યજીવનમાં આવશે મધુરતા

Shukra Dosh Upay: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કુંડળીમાં શુક્રની સ્થિતિ નબળી હોય તો વ્યક્તિના વૈવાહિક જીવનમાં પણ ઉથલપાથલ રહે છે. તેથી જરૂરી છે કે કુંડળીમાં શુક્રની સ્થિતિને મજબૂત કરવા માટે કેટલાક ઉપાયો કરવામાં આવે. આ ઉપાયો કરવાથી શુક્રની સ્થિતિ મજબૂત થાય છે. 

વૈવાહિક જીવનમાં હોય સમસ્યા તો શુક્રવારે આ મંત્ર કરો 108 વખત જાપ, દાંપત્યજીવનમાં આવશે મધુરતા

Shukra Dosh Upay: ધાર્મિક માન્યતાઓ અનુસાર કુંડળીમાં ગ્રહોની સ્થિતિની અસર વ્યક્તિને તેના જીવનમાં ભોગવવી પડે છે. જ્યારે કોઈ ગ્રહ મજબૂત સ્થિતિમાં હોય તો તેના કારણે જીવનમાં ઘણા લાભ થાય છે. પરંતુ જો કોઈ ગ્રહ નબળો હોય તો તેના કારણે વ્યક્તિને તકલીફ પણ પડે છે. જો કે શાસ્ત્રોમાં નબળા ગ્રહની સ્થિતિને મજબૂત કરવાના કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. જેને કરવાથી વ્યક્તિને તે ગ્રહ સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓથી છુટકારો મળે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો વ્યક્તિની કુંડળીમાં શુક્રની સ્થિતિ નબળી હોય તો વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો શુક્ર ગ્રહની સ્થિતિ મજબૂત હોય તો તે વ્યક્તિના વૈવાહિક જીવનમાં મધુરતા રહે છે અને સાથે જ આર્થિક સ્થિતિ પણ સદ્ધર રહે છે. પરંતુ શુક્ર ગ્રહ નબળો હોય તો વ્યક્તિનું દાંપત્યજીવન ખરાબ રહે છે. 

આ પણ વાંચો:

Shukrawar Upay: શુક્રવારે કરો દીવા સંબંધિત આ ટોટકો, ઘરમાં સ્થાયી થશે માતા લક્ષ્મી

ઘરની આ દિશામાં લગાડેલું વિંડ ચાઈમ બદલશે તમારું ભાગ્ય, ઘરમાં વધશે સુખ-શાંતિ અને ધન

Vakri Guru 2023: 31 ડિસેમ્બર સુધી આ 3 રાશિઓને મળશે લખલૂટ પૈસા, વક્રી ગુરુ કરશે કૃપા
  
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કુંડળીમાં શુક્રની સ્થિતિ નબળી હોય તો વ્યક્તિના વૈવાહિક જીવનમાં પણ ઉથલપાથલ રહે છે. તેથી જરૂરી છે કે કુંડળીમાં શુક્રની સ્થિતિને મજબૂત કરવા માટે કેટલાક ઉપાયો કરવામાં આવે. આ ઉપાયો કરવાથી શુક્રની સ્થિતિ મજબૂત થાય છે. 

શુક્રનો બીજ મંત્ર
 
ॐ દ્રાં દ્રીં દ્રૌં સ: શુક્રાય નમ:

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે શુક્રના બીજ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને તમામ સાંસારિક સુખ પ્રાપ્ત થાય છે. આ સાથે સ્વાસ્થ્ય પણ સુધરે છે.
 
શુક્ર ગાયત્રી મંત્ર

ॐ અશ્વધ્વજાય વિદ્મહે ધનુર્હસ્તાય ધીમહિ તન્ન: શુક્ર:  પ્રયોદયાત્
ॐ રજદાભાય વિદ્મહે ભૃગુસુતાય ધીમહિ તન્નો શુક્ર: પ્રયોદયાત્
  
ધાર્મિક માન્યતાઓ અનુસાર શુક્રવારના દિવસે શુક્ર ગાયત્રી મંત્રનો જાપ કરવાથી વ્યક્તિ નકારાત્મકતાથી મુક્તિ મેળવે છે. સાથે જ સૌભાગ્ય વધે છે અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More