Home> LifeStyle
Advertisement
Prev
Next

તમારા પર કાળો જાદુ થયો છે, આવા સંકેતો મળે તો થઈ જાઓ સાવધાન

Black Magic : જે રીતે સારી શક્તિ સકારાત્મકતા લાવે છે, તે જ રીતે ખરાબ શક્તિઓ નકારાત્મકતા પેદા કરે છે. જાદુ-ટોણા, કાળો જાદુનો ઉપયોગ કરીને લોકો બીજાને પરેશાન કરે છે, આવામાં તેનાથી બચવુ હોય તો આ રહ્યાં ઉપાય

તમારા પર કાળો જાદુ થયો છે, આવા સંકેતો મળે તો થઈ જાઓ સાવધાન

અમદાવાદ :તમારા જીવનમાં અચાનક નેગેટિવિટી વધી જાય, ઘર કે ઓફિસ બધી જગ્યાએ નિરાશા સાંપડે. ક્યારેક બનતા કામ બગડી જાય, તો ક્યારેક અચાનક ઘરમાં કોઈની તબિયત ગંભીર રીતે ખરાબ થઈ જાય. જો બધુ શોધ્યા બાદ પણ કોઈ ઉપાય ન મળે તો સમજો કે તમારા પર કાળો જાદુ થયો છે. હંમેશા આપણા વડીલો કહેતા હોય છે કે કોઈની નજર લાગી હશે કે કોઈએ તંત્રમંત્ર કર્યું હશે. આવામાં અચાનક જો તમારી નાડીની ગતિ તેજ થઈ જાય તો અથવા શ્વાસ વધતા હોય તેવું લાગે, અને ડોક્ટર પાસે જવાથી ડોક્ટર કહે કે બધુ નોર્મલ છે. દવા ખાઈને પણ રાહત ન મળે તો સમજો કે તમારા પર કાળા જાદુનો પ્રયોગ કરાયો છે. જો તમને આવું કઈક થયુ હોય તેવું લાગે તો આજે અમે તમને તેમાંથી બચવાના રસ્તા પણ બતાવીશું. 

લીંબુના ટોટકા કરો
જો તમારા બાળકના વ્યવહારમાં બદલાવ દેખાય, તેને ખાવા-પીવામાં રસ ન રહે, તેની ઊંઘ પૂરી થતી ન હોય, તે એકલુ રહેવા માંગતો હોય, તો નજર દોષ ઉતારવાથી તમે તેને બચાવી શકો છો. 

ઉપાય - આ માટે તમે એક લીંબુ લો. લીંબુનો રસ કાઢવા માટે તમે તેને સીધું કાપતા હશો. પરંતું તમારે તેને ત્રાસું કાપવાનું છે. જેથી કાપેલા લીંબુમાં બે ભાગ જોવા મળે.   

બાળ્યા બાદ ન્હાઓ
દસ લવિંગ લો અને લીંબુના બંને ટુકડામાં પાંચ પાંચ ફુલેલા લવિંગ લગાવી દો. દિવસના બાર વાગ્યે કે સાંજના સમયે છ વાગ્યે તમારા બાળક પર એન્ટી ક્લોક વાઈઝ 7 વાર ફેરવીને અગ્નિકુંડમાં નાઁખી દો. તેમાં લવિંગ બરાબર બળવા જોઈએ. તેથી કુંડમાં બાળવા માટે ધૂપ અને કપૂર પણ સાથે લઈને જાઓ અને તેને બાળી મૂકો. તેને બાળ્યા બાદ તમે નાહી લો. તેના બાદ જ તમે બાળકને સ્પર્શ કરો તો સારું રહેશે. આવુ કર્યા બાદ તમારું બાળક જલ્દી સ્વસ્થ થઈ જશે. આવુ મોટા લોકો સાથે પણ કરી શકાય છે. 

આવી રીતે જાણો પ્રયોગ થયો છે કે નહિ
કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પર તાંત્રિક પ્રયોગ કરાયો હોય તો વ્યક્તિની શારીરિક અને માનસિક હાનિ થાય છે. તેના વિચાર અચાનક ભટકવા લાગે છે. અથવા તો દરેક સમયે નબળાઈ અનુભવાય છે. આવુ એટલા માટે થાય છે કારણ કે, તે વ્યક્તિની જીવવાની શક્તિ મંત્ર કે તંત્ર પ્રયોગથી ક્ષીણ થઈ જાય છે. તેને કારણે તેની માનસિક અને શારીરિક સ્થિતિને આઘાત પહોંચે છે. આ રીતે તેને નબળાઈ અનુભવાય છે. 

આ રીતે ઓળખો કાળો જાદુ
જો કોઈ વ્યક્તિ પર તંત્ર વિદ્યા કે કાળા જાદુનો પ્રયોગ થયો હોય તો બહુ જ સરળતાથી જાણી શકાય છે. તેના માટે રાતે ઊંઘતા સમયે પલંગની નીચે એક ગ્લાસમાં પાણી રાખીને મૂકો. સાથે જ મનમાં એવો સંકલ્પ પણ કરો કે જો તમારા પર કોઈ નકારાત્મક ઉર્જાનો પ્રયોગ કરાયો હોય તો, તમામ ઉર્જા આ પાણીમાં સમાઈ જાય. બીજા દિવસે સવારે ઊઠીને સૌથી પહેલા એ પાણીને કોઈ પ્લાન્ટમાં નાંખી દો. ધ્યાન રાખો કો આ પ્રક્રિયા સતત 8 દિવસો સુધી કરતા રહેવી. કહેવાય છે કે, જો કોઈ વ્યક્તિ પર તાંત્રિક પ્રયોગ થયો હશે તો પ્લાન્ટ કરમાઈ જશે. જો કોઈ વ્યક્તિ પર કાળો જાદુનો ઉંડો પ્રભાવ થયો હોય તો પ્લાન્ટ 2 થી 3 દિવસમાં જ સૂકાઈ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More