Home> India
Advertisement
Prev
Next

Republic Day 2020 : ઝાંખીઓમાં જોવા મળી દેશની સંસ્કૃતિની ઝલક, અનેકતામાં એકતા

દેશ આજે 71મો ગણતંત્ર દિવસ (Republic day) ઉજવી રહ્યો છે. દિલ્હીના રાજપથ ભારતીય ગણતંત્રની 71મી વર્ષગાંઠના જશ્નની તૈયારીઓ પુરી થઇ ગઇ છે. હવે થોડીવાર બાદ રાજપથ પર ભારતીય ગણતંત્ર સૈન્ય તાકાત, સંસ્કૃતિની ઝલક જોવા મળશે. 

Republic Day 2020 : ઝાંખીઓમાં જોવા મળી દેશની સંસ્કૃતિની ઝલક, અનેકતામાં એકતા

નવી દિલ્હી: દેશ આજે 71મો ગણતંત્ર દિવસ (Republic day) ઉજવી રહ્યો છે. દિલ્હીના રાજપથ ભારતીય ગણતંત્રની 71મી વર્ષગાંઠના જશ્નની તૈયારીઓ પુરી થઇ ગઇ છે. હવે થોડીવાર બાદ રાજપથ પર ભારતીય ગણતંત્ર સૈન્ય તાકાત, સંસ્કૃતિની ઝલક જોવા મળશે. 

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ સમારોહની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ઇન્ડીયા ગેટ નજીક રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર જઇને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. આ પહેલીવાર હશે જ્યારે વડાપ્રધાન જવાન જ્યોતના બદલે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. ત્યારબાદ તે પરેડનું અવલોકન કરીને સલામી મંચ પર તરફ પ્રસ્થાન કરશે. 

પરંપરા અનુસાર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવશે, ત્યારબાદ 21 તોપોની સલામી સાથે રાષ્ટ્રગાનની ધૂન વગાડવામાં આવશે. પરેડની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પરેડની સલામી લેવાની સાથે થશે. આજથી શરૂ થનાર સમારોહ માટે બ્રાજીલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો મુખ્ય અતિથિના રૂપમાં ભાગ લેશે. 

દિલ્હી ઉપરાંત તમામ રાજ્યોની રાજધાનીઓમાં પણ ગણતંત્ર દિવસ સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત દેશભરમાં વિભિન્ન સાંસ્કૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 

રાજ્યોની ઝાંખીઓ શરૂ, સૌથી પહેલાં તેલંગાણા, છત્તીસગઢ અને રાજસ્થાનની ઝાંખીઓ પ્રસ્તુત કરવામાં આવી.

કેપ્ટન તાન્યા શેરગિલે સેનાની સિગ્નલ્સ કોર્પ્સના માર્ચિંગ કેંટેજેંટ્સની લીડ આપી. 

ભારતીય સેનાના હેલિકોપ્ટર રૂદ્વ અને ધ્રુવે પણ બતાવ્યો દમ.

ભારતીય સેનાના કે-9 વજ્ર-ટી ટેન્ક કેપ્ટન અભિનવ સાહૂના નેતૃત્વમાં પરેડમાં સામેલ થયા. 

યુદ્ધમાં ઉપયોગ થનાર ભારતીય સેનાની ટી-92 ભીષ્મા ટેન્ક પણ પરેડમાં શામેલ થઇ. 86 આર્મ્ડ રેજીમેન્ટ કેપ્ટન સન્ની ચાહરે તેનું નેતૃત્વ કર્યું. 

પરેડની શરૂઆતમાં પરમવીર ચકર અને અશોક ચક્ર વિજેતા જવાનોને રાષ્ટ્રપતિએ સલામી આપી. 

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને મુખ્ય અતિથિ બ્રાજીલના રાષ્ટ્રપતિ જેયર મેસિયસ બોલસોનારોએ 21 તોપોની સલામી સાથે તિરંગાને સલામી આપી. 

રાષ્ટ્રાપતિ પહેલાં તેમની પત્ની પહોંચી
ગણતંત્ર દિવસ સમારોહમાં રાષ્ટ્રપતિની પત્ની તેમના પહેલાં રાજપથ પર પહોંચી છે. કારણ કે રાષ્ટ્રપતિ સમારોહના મુખ્ય અતિથિ સાથે રાજપથ પર પહોંચે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પત્નીનું નેતૃત્વ પીએમ મોદીએ કર્યું. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનું નેતૃત્વ કર્યું. આ પહેલાં રક્ષામંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ કર્યું. 

રાષ્ટ્રપતિ ભવનમાં આપી સલામી
રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથિ જેયર મેસિયસ બોલસોનારોએ સલામી આપી. 

રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પીએમ મોદીએ શહીદો આપી શ્રદ્ધાંજલિ
રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર માળા અર્પણ કરી પીએમ મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, આર્મી ચીફ જનરલ નરવને, નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ, એરફોર્સ ચીફ એર માર્શલ આરકેએસ ભદુરિયા હાજર રહ્યા. 

નેશનલ વોર મેમોરિયલમાં પહોંચ્યા પીએમ મોદી
ઇન્ડીયા ગેટ પર નેશનલ વોર મેમોરિયલમાં પહોંચ્યા મોદી. પીએમને રક્ષામંત્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, આર્મી ચીફ જનરલ નરવને, નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ, એરફોર્સ ચીફ એર માર્શલ આરકેએસ ભદુરિયા મળ્યા. 

દિલ્હી: BJP અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ ગણતંત્ર દિવસ પર પાર્ટી મુખ્યાલયમાં તિરંગો ફરકાવ્યો. 

ઓડિશા: મુખ્યમંત્રી અને બીજૂ જનતા દળ (BJD) ના નેતા નવીન પટનાયકએ #RepublicDay પર ભુવનેશ્વરમાં પાર્ટીના મુખ્યાલય પર તિરંગો ફરકાવ્યો. 

ચેન્નઇ: તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More