નવી દિલ્હી: કોરોના વાયરસનો ચેપ ખતરનાક રીતે વધી રહ્યો છે. ડ્યૂટી પર તૈનાત કોરોના વોરિયર્સ પણ ખુબ ઝડપથી તેની ઝપેટમાં આવી રહ્યાં છે. હવે એવા અહેવાલો છે કે ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમમાં તૈનાત બે સીઆરપીએફના જવાનોમાં કોરોનાનો ચેપ હોવાની પુષ્ટિ થઈ છે.
સીઆરપીએફની 55મી અને 243મી બટાલિયનના જવાનો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. આ મામલો સામે આવતા જ કંટ્રોલ રૂમ નંબર એકને બંધ કરી દેવાયો છે. હવે કંટ્રોલ રૂમને સેનેટાઈઝ કરવામાં આવશે. આ ઉપરાંત જવાનોના સંપર્કમાં આવેલા લોકોની સતત ભાળ મેળવવામાં આવી રહી છે. ભાળ મળતા જ તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે