Home> India
Advertisement
Prev
Next

આ રાજ્યમાં આંગણવાડી કાર્યકર્તાઓને ભેટ, નિવૃતિની ઉંમર વધારી કરવામાં આવી 65 વર્ષ

Anganwadi Helpers Recruitment: આંગણવાડી કાર્યકરો (Anganwadi Workers) ને છત્તીસગઢની ભૂપેશ બઘેલ સરકારે  મોટી ભેટ આપી છે. નિવૃત્તિ વયમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે.

આ રાજ્યમાં આંગણવાડી કાર્યકર્તાઓને ભેટ, નિવૃતિની ઉંમર વધારી કરવામાં આવી 65 વર્ષ

Anganwadi Workers Retirement Age: છત્તીસગઢ સરકારે (Chhattisgarh Govt) આંગણવાડી કાર્યકરો અને સહાયકોને મોટી ભેટ આપી છે. છત્તીસગઢમાં આંગણવાડી કાર્યકરો અને સહાયકોની નિવૃત્તિ વય 62 વર્ષથી વધારીને 65 વર્ષ કરવામાં આવી છે. આ સંદર્ભમાં છત્તીસગઢના મહિલા અને બાળ વિકાસ વિભાગે પણ આદેશ જારી કર્યો છે. 

શનિદેવ બનાવવા જઇ રહ્યા છે એકસાથે 2 રાજયોગ, આ 4 રાશિઓ પર વરસશે છપ્પરફાડ પૈસા!
Birth Certificate: બર્થ સર્ટિફિકેટથી થઇ જશે બધા કામ, 1 ઓક્ટોબરથી લાગૂ થશે નવો નિયમ

તમને જણાવી દઈએ કે સીએમ ભૂપેશ બઘેલે (Bhupesh Baghel) આંગણવાડી કાર્યકરો અને સહાયકોની માંગણીઓને સ્વીકારીને 2023-24ના બજેટમાં માનદ વેતન વધારવાની જાહેરાત કરી હતી. છત્તીસગઢમાં, આંગણવાડી કાર્યકરો અને સહાયકોને 1 એપ્રિલ, 2023 થી વધેલા માનદ વેતન આપવામાં આવી રહ્યા છે.

જાડેજાએ વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બનાવ્યો મહારેકોર્ડ, કપિલ દેવની કરી બરાબરી
Success Story: લુકમાં કોઇ મોડલથી કમ નથી, આવી છે IPS થી IAS બનવાની કહાની

આંગણવાડી કાર્યકરોને મળી રહ્યું છે વધેલું માનદ વેતન 
તમને જણાવી દઈએ કે આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન પહેલાથી જ 6,500 રૂપિયા પ્રતિ માસથી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે આંગણવાડી સહાયકોનું માનદ વેતન રૂ. 3,250 થી વધારીને રૂ. 5,000 અને મીની આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન રૂ. 4,500 થી વધારીને રૂ. 7,500 પ્રતિ માસ કરવામાં આવ્યું છે.

આ સમયે કરો ગણિતનો અભ્યાસ, માર્ક્સ આવશે 100 માંથી 100
Antioxidants થી ભરપૂર લીંબુથી દૂર થશે ચહેરાની કરચલી, આ 3 વસ્તુઓ પણ લાગશે કામ

એકસાથે ચૂકવણીની જોગવાઈ
આ ઉપરાંત આંગણવાડી કાર્યકરો અને સહાયકો માટે મૃત્યુ પર એક્સ-ગ્રેશિયાની રકમ અને નિવૃત્તિ પર એકમ રકમની ચુકવણીની પણ જોગવાઈ છે. તો બીજી તરફ, આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોના મૃત્યુ પર, એક્સ-ગ્રેશિયાની રકમ વધારીને 50 હજાર રૂપિયા કરવામાં આવી છે. તેવી જ રીતે, નિવૃત્તિ પર, આંગણવાડી કાર્યકરોને 50 હજાર રૂપિયા અને હેલ્પરોને 25 હજાર રૂપિયા ચૂકવવાની જોગવાઈ છે.

ભેંસે પોતાના બચ્ચાને સિંહોથી બચાવવા આપી પોતાની કુરબાની, ફોટા જોઇને ઉડી ગયા લોકોના હોશ
Yashobhoomi: ભારત મંડપમ બાદ વધુ એક અજૂબો, નામ રાખ્યું યશોભૂમિ...રાષ્ટ્રને સમર્પિત કરશે પીએમ મોદી

ચૂંટણી પહેલા લેવાયો મહત્વનો નિર્ણય
ઉલ્લેખનીય છે કે આ વર્ષે છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણી પહેલા છત્તીસગઢ સરકારનો આ નિર્ણય આંગણવાડી કાર્યકરો અને સહાયકો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. છત્તીસગઢની ભૂપેશ બઘેલ સરકાર સામે સત્તામાં રહેવાનો પડકાર છે. આંગણવાડી કાર્યકરો તેમની માંગણીઓને લઈને દેખાવો કરી ચૂક્યા છે. છત્તીસગઢ સરકારના આ નિર્ણયથી આંગણવાડી કાર્યકરોને મોટી રાહત મળી છે.

LPG Cylinder Price: અહીં ફક્ત 450 રૂપિયામાં મળી રહ્યો છે ગેસ સિલિન્ડર, જાણો કોણ કરી શકે છે એપ્લાય?
Desi Jugaad: જુગાડ ભારતીયોનો જવાબ નહી, વિશ્વાસ ન થતો હોય તો જોઇ લો આ દેસી જુગાડ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More