નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે બ્રિક્સ સમૂહના વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. બ્રિક્સ સંમેલનમાં પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ આતંકવાદના મુદ્દા પર નામ લીધા વગર પાડોસી દેશ પાકિસ્તાનને આડે હાથ લીધો છે. આ સિવાય પીએમ મોદીએ એકવાર ફરી યૂએન સિક્યોરિટી કાઉન્સિલમાં ફેરફારનો મુદ્દો ઉઠાવ્યો છે.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે, ગ્લોબલ ગવર્નેંસની ક્રેડિબિલિટી અને ઇફેક્ટિવનેસ બંન્ને પર સવાલ ઉઠી રકહ્યા છે. તેનું મુખ્ય કારણ છે કે તેમાં સમયની સાથે યોગ્ય ફેરફાર કરવામાં આવ્યા નથી. તે હજુ પણ 75 વર્ષ જૂના વિશ્વની માનસિકતા અને વાસ્તવિકતા પર આધારિત છે. ભારતનું માનવું છે કે યૂએ સિક્યોરિટી કાઉન્સિલમાં ફેરફાર ખુબ જરૂરી છે. આ વિષય પર અમને અમારા બ્રિક્સ પાર્ટનરના સહયોગની અપેક્ષા છે.
In 2021, BRICS will complete 15 years. Our 'sherpas' can make a report to evaluate the various decisions taken by us in the past years: PM Narendra Modi at BRICS Summit pic.twitter.com/DACP4altCD
— ANI (@ANI) November 17, 2020
પીએમ મોદીએ આગળ કહ્યું કે, યૂએન સિવાય અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ વર્તમાન વાસ્તવિકતાઓ હેઠળ કામ કરી રહી નથી. ડબ્લ્યૂટીઓ, આીએમએફ, ડબ્લ્યૂએચઓ જેવી સંસ્થાઓમાં પણ સુધાર થવો જોઈએ.
આતંકવાદનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યુ, આતંકવાદ આજે વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. આપણે તે નક્કી કરવું પડશે કે આતંકવાદીઓને સમર્થન અને સમર્થન આપનાર દેશોને પણ દોષી ઠેરવવામાં આવે અને આ સમસ્યાનો સંગઠિત રીતે મુકાબલો કરવામાં આવે. અમને ખુશી છે કે રશિયાની અધ્યક્ષતા દરમિયાન બ્રિક્સ કાઉન્ટર ટેરરિઝ્મ સ્ટ્રેટજીને અંતિમ રૂપથી આપવામાં આવે. આ એક મોટી સિદ્ધિ છે. ભારત આ કાર્યને પોતાની અધ્યક્ષતા દરમિયાન વધુ આગળ વધારશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે