ઝી મીડિયા/બ્યૂરો :સુપ્રિમ કોર્ટે SC/ST એક્ટમાં સંશોધનના ચુકાદાને યથાવત રાખ્યો છે. હવે એસસી-એસટી સંશોધન કાયદા મુજબ, ફરિયાદ મળવા પર તરત એફઆઈઆર દાખલ થશે અને ધરપકડ થશે. હકીકતમાં, 20 માર્ચ, 2018ના રોજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ, 1989ના થઈ રહેલા દુરુપયોગને ધ્યાનમાં રાખીને સુપ્રિમ કોર્ટે આ અધિનિયમ અંતર્ગત મળનારી ફરિયાદ પર સ્વત એફઆઈઆર અને ધરપકડ પર પ્રતિબંધ મૂક્યો હતો.
સુરત : કારખાનામાં લાગેલી આગમાં અંદર સૂઈ રહેલા બે કર્મચારીઓ હોમાઈ ગયા
Supreme Court upholds the constitutional validity of SC/ST (Prevention of Atrocities) Amendment Act, 2018 that ruled out any provision for anticipatory bail for a person accused of atrocities against SC/STs. pic.twitter.com/C2LMBwZiO8
— ANI (@ANI) February 10, 2020
તેના બાદ સંસદમાં સુપ્રિમ કોર્ટમાં આદેશને પલટવા માટે કાયદામાં સંશોધન કરવામાં આવ્યું હતું. તેને પણ સુપ્રિમ કોર્ટમાં ચેલેન્જ આપવામાં આવી હતી. આ પહેલા સુપ્રિમ કોર્ટે એસસી-એસટી એક્ટને લઈને દાખલ કરાયેલી અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો છે. તેથી હવે જો એટ્રોસિટી ફરિયાદ હશે તો તાત્કાલિક એફઆઈઆર કરાશે અને આરોપીની ધરપકડ કરવામાં આવશે.
સંસદમાં સુપ્રિમ કોર્ટના આદેશને પલટવા માટે કાયદામાં સંશોધન કરવામાં આવ્યો હતો. તેને પણ સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ પહેલા સુપ્રિમ કોર્ટે એસસી એસટી એક્ટને લઈને દાખલ કરાયેલી અરજીઓ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, એસસી/એસટી પર અત્યાચાર કરનારા આરોપીઓને આગોતરા જામીન આપવા માટે કોઈ પ્રાવધાન ન આપવાની વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. આ પહેલા એસસી/એસટી એક્ટને લઈને સુપ્રિમ કોર્ટે આંશિક રીતે પોતાનો નિર્ણય બદલ્યો હતો.
ત્રણ જજોની બેન્ચે સંભળાવ્યો નિર્ણય
જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ વિનીત શરણ અને જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટની પીઠે 2-1થી નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા પોતાના પહેલા નિર્ણયમાં કરાયેલ સંશોધનને યથાવત રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે સંસદમાં કાયદામાં સંશોઝન કરતા એસસી/એસટી કાયદા અંતર્ગત તરત ધરપકડ પર કોઈ આરોપીને આગોતરા જામીન આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
સરકારે બદલ્યો હતો સુપ્રિમ કોર્ટનો નિર્ણય
સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ કેન્દ્ર સરકારે સંસદના માધ્યમથી કાયદામાં બદલાવ કર્યો હતો અને પહેલાના કાયદાના પ્રાવધાનને દૂર કર્યો હતો. આ કાયદાકીય બદલાવને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેના પર સુનવણી બહાદ નિર્ણય સુરક્ષિત રાખી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રિમ કોર્ટે મંગળવારે પોતાના એ જૂના નિર્ણયને પરત લઈ લીધો છે, જેમાં સુપ્રિમ કોર્ટની ડબલ બેન્ચે એસસી-એસટીમાં ધરપકડને છૂટ આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે