Home> Gujarat
Advertisement
Prev
Next

આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી! ગુજરાતના એ સંત જેમની સર્જરી દરમિયાન ડોક્ટરો પણ ચોંક્યા હતા...

Pramukh Swami: પ્રમુખસ્વામી મહારાજની બાયપાસ સર્જરી ડૉ. તેજસ પટેલ અને તેમની ટીમે દ્વારા કરવામાં આવી હતી. પરંતુ ડોક્ટર આજદિન સુધી બાપાની તે યાદો ભૂલ્યા નથી.

આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી! ગુજરાતના એ સંત જેમની સર્જરી દરમિયાન ડોક્ટરો પણ ચોંક્યા હતા...

Pramukh Swami Maharaj: પ્રમુખ સ્વામી મહારાજ સાથે જોડાયેલા કેટલાંક એવા ગૂંઢ રહસ્યો હવે બહાર આવી રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજની બાયપાસ સર્જરી કરવામાં આવી ત્યારે શું થયું હતું? તે ડોક્ટરે પોતાનો અનુભવ શેર કર્યો હતો. પ્રમુખસ્વામી મહારાજની બાયપાસ સર્જરી ડૉ. તેજસ પટેલ અને તેમની ટીમે દ્વારા કરવામાં આવી હતી. પરંતુ ડોક્ટર આજદિન સુધી બાપાની તે યાદો ભૂલ્યા નથી. 

ભાજપે વિકેટ નથી પાડી, રન આઉટ થયું કોંગ્રેસ! જાણો હાર-જીતમાં વોટ શેરનો હિસાબ-કિતાબ

બાયપાસ સર્જરી ડૉ. તેજસ પટેલે જણાવ્યું હતું કે, અમે ઘણા મોટા અને મહત્વના અનેક લોકોની સારવાર કરી છે, પરંતુ 'સ્વામીજી' તેમનામાં આદર્શ અને દિવ્ય વ્યક્તિત્વ હતા. જેમની સારવાર કરવાનું અમને સૌભાગ્ય મળ્યું. આમ તો અમે દરેક દર્દી સાજા થાય એવી જ અનુકંપાથી સર્જરી અને સારવાર કરીએ છીએ. પરંતુ, એક વખત ધર્મગુરુ પ્રમુખસ્વામી પર હોસ્પિટલમાં બાયપાસ સર્જરી કરી રહ્યો હતો. ઓપરેશન દરમિયાન જ્યારે એમનું હૃદય મારા હાથમાં લીધું એ વખતે મને અત્યંત સુખદ અને અદ્રિતીય અનુભૂતિ થતાં હું તો પુલકિત બની જ ગયો, પરંતુ સમગ્ર ઓપરેશન થિયેટરમાં પણ કોઇ દૈદીપ્યમાન દિવ્યતા અવતરી હોય તેમ લાગતું હતું.

દરેક ભારતીય આ દેશમાં પગ મૂકતાંની સાથે જ બની જાય છે અમીર! 1000 રૂ. બની જશે 2.91 લાખ

જાણો ડોક્ટરે શું કહ્યું?
પ્રમુખ સ્વામીજીની સારવાર કરનારા ડોક્ટરે જણાવ્યું હતું કે તેઓ બાળપણથી જ તેમને અવારનવાર મળતા હતા. હું 10માં ધોરણમાં હતો ત્યારે જે પ્રેમ હતો તે છેલ્લા દિવસો સુધી રહ્યો. પ્રમુખ સ્વામીને ડોકટરોમાં અતૂટ વિશ્વાસ હતો. જ્યારે તેમની બાયપાસ સર્જરી કરાવવાની હતી ત્યારે બધા જ તણાવમાં હતા, પરંતુ પ્રમુખસ્વામી મહારાજ એકલા જ ચિંતામુક્ત હતા. અમેરિકાના રોબિન્સવિલેમાં જ્યારે અક્ષરધામનો શિલાન્યાસ થવાનો હતો ત્યારે તેમને ત્યાં લઈ જવાનો એક મોટો પડકાર હતો. પણ સ્વામીજીએ ભક્તોને વચન આપ્યું હતું, એટલે નિભાવવું તો પડે જ. સ્વામીજીને ત્યાં લઈ જવાનો એક મોટો પડકાર અને જોખમ હતું, તેમ છતાં આ પડકાર સ્વીકારી લીધો.

અરેરાટીભર્યો કિસ્સો : લોખંડનો સળિયો ઘૂસી ગયેલો પગ લઈને હોસ્પિટલ પહોંચ્યો દર્દી

જાણે પ્રમુખ સ્વામી મહારાજને પીડાનો કોઇ અહેસાસ જ ન હોય! એટલું જ નહીં તે પછી તાત્કાલિક બાયપાસ સર્જરી કરવાના નિર્ણયની તેઓને જાણ કરવામાં આવી ત્યારે હાથમાંની માળા ફેરવતાં સ્વામીજી તો ‘જેવી ભગવાનની ઇચ્છા’ તેમ કહી બે કલાક ઘસઘસાટ ઊંઘી ગયા. પ્રમુખ સ્વામીની આવી તિતિક્ષાનો આધ્યાત્મિક ગુણ જોઇ ડોક્ટરોની ટીમ અચંબો જ પામી ગઇ. એટલું જ નહીં શારીરિક વેદના સહન કરતાં પણ સતત સ્વામીનારાયણ મંત્રનો અનિમેશ જપ કરતા. મહારાજના સાત દિવસના હોસ્પિટલના નિવાસ દરમિયાન અમેરિકન સ્ટાફને આ ભારતીય ધર્મગુરુની હાજરીથી અપૂર્વ આકર્ષણ અને દિવ્યતાનો અનુભવ થતો રહ્યો.

ગુજરાતનું આ સ્થળ જેટલું સુંદર છે એટલું જ ખતરનાક, અહીં એકાંત માણવા આવે છે પ્રેમીઓ

નોંધનીય છે કે, સમગ્ર વિશ્વમાં પોતાની સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો વગાડ્યો છે જે પ્રમુખસ્વામી મહારાજ નો જન્મ વડોદરા જિલ્લા ના પાદરા તાલુકા ના એક નાનકડા ગામે એટલે કે ચાણસદ ગામે થયો હતો. પ્રમુખ સ્વામીને કિર્કેટ રમવાનો ખૂબ રસ હતો. પાદરાની એક સરકારી શાળામાં ભણતા શાંતીલાલથી પ્રમુખ સ્વામી મહારાજ બનવા સુધીની સફરની એક ઝલક...

Traditional Recipe: શિયાળામાં ન ખાધો તીખો તમતમતો 'મધપૂડો' તો તમે નથી સાચા ગુજરાતી

વિક્રમ સંવત ૧૯૭૮ની માગશર સુદ ૮ ને ૭ ડિસેમ્બર ૧૯૨૧ના રોજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનાં નાના સરખા ગામ ચાણસદમાં પંચાયતના ચોરાની સામેની ઢાળવાળી ગલીમાં ડાબા હાથે આવેલા પિતા મોતીભાઈ અને માતા દિવાળીબાના ઘરમાં તેમનો જન્મ થયો. તેમનું જન્મનું નામ શાંતિલાલ રાખવામાં આવ્યું હતું. વ્યવસાયે ખેડુત એવા આ પરિવાર ને પ્રભુભક્તિ સિવાય બીજુ કોઈ વિશિષ્ટ પાસું નહોતું. તેમનું પ્રાથમિક શિક્ષણ ચાણસદ ગામમાં જ થયું.

લખી રાખજો, આગામી 5 વર્ષ ગુજરાતના જ છે! આ ક્ષેત્રમાં આગામી 5 વર્ષમાં ચાંદી જ ચાંદી છે

 શાંતિલાલ સ્વભાવે શાંત પણ શિસ્તબદ્ધ, સમયપાલન સાથે ભણવામાં હોંશિયાર હતા. ઈતિહાસ અને ગણિત એમના પ્રિય વિષયો હતાં. એકથી પાંચ ધોરણ તેમના ગામમાં ભણ્યાં બાદ તેમણે છઠ્ઠા ધોરણ માટે પાદરા ગામની શાળામાં પ્રવેશ લીધો. શાન્તિલાલ ઘરેથી ક્રિકેટનો સરંજામ લેવા વડોદરા જવા નીકળ્યા. રસ્તામાં ભાઈલા ગામના રાવજીભાઈએ કહ્યું “ગુરુ શાસ્ત્રીજી મહારાજે તમારા માટે ચીઠ્ઠી આપી છે. અઢાર વર્ષના યુવાન શાન્તીભાઈએ કવર ખોલી ચીઠ્ઠી વાંચી. તો તેમાં લખ્યું હતું. ” સાધુ થવા આવી જાઓ” શાન્તિભાઈ વડોદરા જવાને બદલે પાછા ઘેર આવી, માતા-પિતાને ચીઠ્ઠી બતાવી ને કહ્યું રાવજીભાઈના ભાઈલી ગામે મારે સત્સંગ માટે વિચરતા સાધુ નીલકંઠ સ્વામી અને ઘનશ્યામ સ્વામીને મળવા જવાનું ગુરુ શાસ્ત્રીજી મહારાજે કહ્યું છે. આ હરિભક્ત કુટુંબે આ પળને જીવનની ધન્ય પળ ગણી હસ્તે મુખે , કોઈ ચહલ પહલ વગર, ગૃહત્યાગ માટે શાન્તીભાઈને વિદાય દીધી.

ગેહલોત, કમલનાથ અને ભૂપેશ બઘેલની તિગડીનું હવે શું થશે? મોદીની ગંરેટીએ ઘરભેગા કર્યા

૨૨ નવેમ્બર ૧૯૩૯ના રોજ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોરવયના ભકત શાંતિલાલને પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી અને આશરે બે મહિના બાદ ૧૦ જાન્યુઆરી ૧૯૪૦ના દીવસે ગોંડલમાં ભાગવતી દીક્ષા આપતી વખતે તેમને નારાયણસ્વરૂપ દાસ સ્વામી નામ આપ્યું. તેમની સેવાભાવનાથી ગુરુએ તેમનામાં ભાવી કર્ણધારના દર્શન કર્યા અને સેવાની સાથેસાથે અભ્યાસ કરવાની પ્રેરણા આપી. પેટલાદની સંસ્કૃત પાઠશાળામાં શાસ્ત્રી સુધીનો અભ્યાસ કરીને તેઓ શાસ્ત્રી નારાયણસ્વરુપ દાસજી બન્યા. સને ૧૯૫૦માં શાસ્ત્રીજી મહારાજે પોતે સ્થાપેલી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ તરીકે તેમને નિયુકત કર્યા.

AAP પછી BAPનો જલવો: 2 મહિના પહેલાં બનેલી પાર્ટીએ ભાજપ-કોંગ્રેસને ધૂળ ચટાડી

નોમાં ધર્મસંસદમાં ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ પ્રવચન કરી તમણે ગુજરાતી ભાષાને ગૌરવ આપ્યું છે. આજે નિઃસ્વાર્થભાવે સેવા કરતા ૮૪૪થી વધુ ત્યાગી પૂર્ણકાલિન સ્વયંસેવી-સમાજસેવી સંતોનો સમુદાય અને ૯૦૦થી વધુ હિન્દુ મંદિરો બનાવવાનો વિશ્વ વિક્રમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેમના નામે નોંધાયેલો છે.

નવા પરણેલા કપલે સેક્સ ટાઈમને બેસ્ટ ટાઈમ બનાવવા ફોલો કરવી કામસૂત્રની આ ફોરપ્લે ટીપ્સ

આંખે મોતિયો, પિત્તાશય અને ગાંઠનું ઓપરેશન, પગે વા અને હાર્ટએટેક કે હૃદયની બાયપાસ સર્જરી આવાં અસહ્ય દર્દો તેમના જીવનકાળ દરમ્યાન તેમણે વેઠ્યા. જીવનના પાછલા વર્ષોમાં તેઓ પોતાન પગે ચાલી શકતા ન હતા. ટૂંકી માંદગી બાદ ૯૫ વર્ષની વયે ૧૩ ઓગસ્ટ ૨૦૧૬ના દીવસે સાળંગપુર ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિર સંકુલમાં ભહ્ન લિન થયા.

કેરેબિયાઇ બેટ્સમેને કરી કોહલી અને વિવ રિચર્ડ્સની બરાબરી, વનડેમાં બનાવ્યો મહારેકોર્ડ

૧૮૦૦૦થી વધુ ગામડાઓ અને શહેરોમાં ધર્મ સભાઓ કરીને સામાન્ય જનતાને જીવનનો રાહ બતાવ્યો. ૨૫૦૦૦૦ જેટલા ઘરમાં જઇને લોકોને નિર્વ્યસની જીવનની પ્રેરણા આપી. ૯૦૯૦ જેટલા સંસ્કાર કેન્દ્રો શરુ કર્યા. ૫૫૦૦૦ સ્વયંસેવકોની ફોજ તૈયારી કરીને સમાજ સેવાથી ભૂકંપ, પૂર જેવી આપત્તિઓમાં સમાજમાં સેવાની ધુણી ધખાવી. હોસ્પીટલો-શાળાઓ બનાવીને નિરામય શિક્ષિત સમાજ તૈયાર કર્યો. સંન્યાસી હોવાને કારણે તેમણે સતત વિચરણ કર્યું. દુષ્કાળ, પૂર, વાવાઝોડાં, ભૂકંપ જેવી કુદરતી આફતોમાં માનવ સહાય માટે અનન્ય પુરુષાર્થ કર્યો છે. કોમી રમખાણો, વિવિધ આંદોલનોમાં શાંતિ માટેના પ્રયાસો એમણે કર્યા છે. દહેજનાબૂદી, અસ્પૃશ્યતાનિવારણ, ભૃણહત્યા નિવારણ જેવી કુરૂઢિઓ નાબૂદ કરવા સમાજને ફળદાયક સમજ આપી છે. સાક્ષરતાથી લઈને જળસંચય અભિયાન કે વ્યસન મુકિત આંદોલનો સુધી વ્યાપેલી આવી તો કંઈ કેટલીય સામાજિક સેવાઓમાં તેમણે અદ્વિતીય પ્રદાન આપ્યું છે

પ્રમુખસ્વામી મહારાજ ના જન્મ સ્થળ એટલે કે ચાણસદ ને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત નું પવિત્ર યાત્રા ધામ બોર્ડ માં સમાવેસ કરવામાં આવેલ છે ઉલ્લેખનીય છે કે રાજ્યસરકાર 10 કરોડ ઉપરાંત ની ફાળવણી યાત્રા ધામ વિકાસ માટે કરવામાં આવેલ છે જે આવનાર સમય માં આ ધામ વિશ્વ માં જાણીતું થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More