Home> Gujarat
Advertisement
Prev
Next

PM નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ, માતા હિરાબા સાથે ટેલિફોનિક વાત કરી લીધા આર્શીવાદ

તેમના 68માં જન્મ દિવલ પર પણ માતા હિરાબાને સાથે પી.એમ મોદીએ ટેલિફોનિક વાતચીત કરી હતી

PM નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ, માતા હિરાબા સાથે ટેલિફોનિક વાત કરી લીધા આર્શીવાદ

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્રમોદીનો આજે 68મો જન્મ દિવસ છે. ત્યારે પી.એમ મોદી દર વર્ષે તેમની માતા હીરાબાના આર્શીવાદ લેવા અચૂક તેમની મુલાકત અથવા તો ટેલિફોનિક વાતચીત અચૂક કરે છે. ત્યારે તેમના 68માં જન્મ દિવલ પર પણ માતા હિરાબાને સાથે પી.એમ મોદીએ ટેલિફોનિક વાતચીત કરી હતી. મહત્વનું છે, કે વડાપ્રધાન મોદીના માતા હિરા બા ગાંધીનગર ખાતે તેમના મોટા પુત્રને ત્યાં રહે છે, વહેલી સવારે મોદીએ 5.30 કલાકે ફોન કરીને માતા હિરાબાના આશીર્વાદ લીધા હતા. ઉલ્લેખનીય છે, કે મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા તે દરમિયાન તેઓ દર જન્મ દિવસ પર વહેલી સવારે પોતાની માતાના આશીર્વાદ મેળવતા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More