Gujarat Loksabha Election : અહીંથી જે ચુંટણી જીતે એની જ સરકાર કેન્દ્રમાં બને...!! આ ઉક્તિને લઇને 26 વલસાડ લોકસભા બેઠક ઉપર ચુંટણી જંગ રસાકસી ભરી રહેશે. ત્યારે આદિવાસી બાહુલ્ય ધરાવતી વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસે આંદોલનો થકી સરકાર સામે બાયો ચઢાવી અનેક મોરચે સફળ રહેલા આદિવાસી નેતા અનંત પટેલને ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે, જેની સામે ભાજપે સ્કાયલેબ પ્રકારે સોશ્યલ મીડિયામાં એક્ટિવ અને ભાજપના આદિવાસી મોર્ચાના યુવા નેતાને ચુંટણી સંગ્રામમાં ઉતરતા વલસાડ લોકસભામાં ખરાખરીનો જંગ જોવા મળશે
અનંત પટેલની આંદોલનકારી નેતા તરીકેની છાપ
ભાજપના કોર્પોરેટર ગેમર દેસાઈને આવ્યો હાર્ટ એટેક, સારવાર મળતા પહેલા જ મોત થયું
ધવલ પટેલના સવા લાખથી વધુ ફોલોઅર્સ
આદિવાસીઓમાં જાણીતા અનંત પટેલને કોંગ્રેસે ચુંટણી મેદાનમાં ઉતારતા ભાજપે પણ સામે સોશ્યલ મીડિયામાં એક્ટિવ એવો યુવા ચહેરો ધવલ પટેલને ચુંટણી સંગ્રામમાં ઉતાર્યા છે. મુળ વાંસદાના અને ધોડિયા પટેલ જ્ઞાતિના જ ધવલ પટેલ ભાજપના આદિવાસી મોર્ચાના સોશ્યલ મીડિયા સેલના રાષ્ટ્રીય ઇન્ચાર્જ છે. સોશ્યલ મીડિયામાં ધવલ પટેલના સવા લાખથી વધુ ફોલોવર્સ છે. ધવલ પટેલ આદિવાસીઓના પ્રશ્નો, સમસ્યાઓથી અવગત હોવાનુ જણાવી, વલસાડની ભૌગોલિક પરિસ્થિતિ અનુરૂપ પ્લાનીગ કરી, વિકાસ સાધવાના પ્રયાસો ઉપર ફોકસ રાખી રહ્યા છે. ત્યારે આંદોલન થકી લોકો સુધી પહોંચેલા અનંત પટેલ સામે ધવલ પટેલ વિકાસની રાજનીતિ થકી લોકો સુધી પહોંચવાની રણનીતિ લઈને નીકળ્યા છે. જોકે ધવલ પટેલે પોતાના હરીફનું નામ લીધા વિના જ તેમને પછાડવાનો ઉત્સાહ દેખાડ્યો હતો.
ભાડા પર કાર આપતા પહેલા સાવઘાન, ભાડે લઈ જનારા વ્યક્તિએ વેચી નાંખી કાર
વલસાડ લોકસભા ઉપર ટફ ફાઈટ
ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને જોતા રાજકીય વિશ્લેષકો વલસાડ લોકસભા ઉપર ટફ ફાઈટ રહેવાનું માની રહ્યા છે. કારણ બંનેના ઉમેદવારો યુવા છે અને એક જ ધોડિયા જ્ઞાતિના છે. ત્યારે આંદોલનો થકી લોક ચાહના ધરાવતા અનંત પટેલ સામે સ્કાય લેબની જેમ મુકવામાં આવેલા ધવલ પટેલે ભાજપી સંગઠન ઉપર વિશ્વાસ સાથે ચુંટણી જંગ ખેલવી પડશે. ભાજપ માઇક્રો પ્લાનિંગ થકી ચુંટણી મેદાનમાં ઉતરતી હોય છે, પરંતુ કોંગ્રેસના જુથવાદ સાથે અનંત પટેલે ચુંટણી જીતવાની મથામણ કરવી પડશે.
વલસાડ લોકસભા બેઠક ઉપર ભાજપ અને કોંગેસના યુવા ચહેરા છે, પરંતુ એક પાસે મજબૂત સંગઠન અને એક પાસે પોતાના આંદોલનો થકી મેળવેલી લોક ચાહના છે, જેમાં બે બળિયામાં કોણ બાજી મારશે એ ચુંટણી જંગ બાદ જ સામે આવશે.
ઉમેદવારી પરત ખેંચવાના નિર્ણય પર રંજનબેને ગળગળા થઈને કહી આ વાત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે