Home> North Gujarat
Advertisement
Prev
Next

અનોખી પરંપરા: નનામી પર બેસીને બ્રાહ્મણો કરે છે મડા સાતમની ઉજવણી

વર્ષોથી ચાલી આવતી મડા સાતમની પરંપરા આજે પણ શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિમાં યથાવત રહેવા પામી છે અને મોટી સંખ્યામાં કુળદેવી બિંદુક્ષણી માતાના મંદિરે ભેગા થઇ માતાજીની પૂજા અર્ચના કરે છે અને પ્રતિક રૂપે બનાવેલ નનામી પર બેસી વર્ષ દરમિયાન આરોગ્ય શરુ રહે તેના માટે માતાજી ને પ્રાર્થના કરે છે.

અનોખી પરંપરા:  નનામી પર બેસીને બ્રાહ્મણો કરે છે મડા સાતમની ઉજવણી

પ્રેમલ ત્રિવેદી, પાટણ: પાટણમાં વસતા શ્રીમાળી સામવેદી બ્રાહ્મણો દ્વારા વર્ષ પરંપરાગત રીતે મડા સાતમની ઉજવણી કરવામાં આવે છે. જેમાં કુળદેવી બિન્દુક્ષણી માતાની પૂજા અર્ચના કરી માતાજીનું વાહન ગણાતા સબ વાહિની છે. તેના પ્રતિક રૂપે લીમડાની ડાળીઓમાંથી બનાવેલ નનામી પર સમાજના સૌ કોઈ લોકો બેસી વર્ષ દરમિયાન આરોગ્ય સારું રહે તેના માટે પ્રાર્થના કરે છે.

ગૌતમ અદાણીએ લીધી 350 કરોડ ડોલરની 'લોન', શું હવે નવો ધડાકો કરવાની કરી રહ્યાં છે તૈયાર
આ રાશિના લોકો માટે શાનદાર રહેશે વર્ષ 2024, જાન્યુઆરીથી મા દેવી લક્ષ્મી થશે મહેરબાન

શ્રીમાળી સામવેદી બ્રાહ્મણોનું મૂળ વતન રાજસ્થાનનું ભીનમાળ જ્યાં વર્ષો પહેલા રોગચાળો અને અત્યાચારનું પ્રમાણ વધતા તેમનું જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બનવા પામ્યું હતું. ત્યારે બ્રાહ્મણોએ અત્યાચાર અને રોગચાળાથી બચવા માટે નનામી બનાવીને તેના પર સુઈ જઈને સ્થળાંતર કરી પાટણ અને ખેરાલુ મુકામે વસવાટ કર્યો હતો. 

સાઉથ આફ્રીકાએ મુંબઇમાં મચાવી ધમાલ, વર્લ્ડ ચેમ્પિયન ઇગ્લેંડને 229 રનોથી ચટાડી ધૂળ
Vitamin P: આખરે કઇ બલાનું નામ છે વિટામીન પી? ફાયદા જાણશો તો મનમાં નહી ઉઠે આ સવાલ

ત્યારે બિન્દુક્ષણી માતાનું વાહન પણ નનામી હોવાને લઇ વર્ષોથી બ્રાહ્મણો દ્વાર દર નવરાત્રીની સાતમના દિવસે પાટણ ખાતે આવેલ બિંદુક્ષણી માતાના મંદિરે પૂજા અર્ચના કરી માતાજીના સમીપ પ્રતીક રૂપ બનાવેલ નનામી પર બેસીને પરિવારનું આરોગ્ય સ્વસ્થ રહે તે માટે પ્રાર્થના કરે છે.

Puja Niyam: પૂજા દરમિયાન અગરબત્તી પ્રગટાવો અથવા ધૂપ? ઘરની સુખ-શાંતિ તથા સમૃદ્ધિ પર પડે છે અસર
આ રાશિના લોકો માટે શાનદાર રહેશે વર્ષ 2024, જાન્યુઆરીથી મા દેવી લક્ષ્મી થશે મહેરબાન

વર્ષોથી ચાલી આવતી મડા સાતમની પરંપરા આજે પણ શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિમાં યથાવત રહેવા પામી છે અને મોટી સંખ્યામાં કુળદેવી બિંદુક્ષણી માતાના મંદિરે ભેગા થઇ માતાજીની પૂજા અર્ચના કરે છે અને પ્રતિક રૂપે બનાવેલ નનામી પર બેસી વર્ષ દરમિયાન આરોગ્ય શરુ રહે તેના માટે માતાજી ને પ્રાર્થના કરે છે.

શું માર્કેટમાં પરત આવી રહી છે 1000 રૂપિયાની નોટ? નવા રિપોર્ટમાં થયો આ ખુલાસો
Paytm ના શર્માજી એ કરી દીધો કમાલ, શેર તહેવારોમાં બની શકે છે રોકેટ!
સોનાના દાગીના પર ઑફર્સની ભરમાર , જાણો કોણ આપી રહ્યું છે કેટલું ડિસ્કાઉન્ટ?

આદ્ય શક્તિમાં અંબાના નવલા નોરતા ચાલી રહ્યા છે, ત્યારે વિવિધ સમજોમાં રહેલ પ્રથાઓ આજે પણ અકબંધ રહેવા પામી છે. આધુનિક યુગ હોવા છતાં સમાજમાં રહેલ પ્રથાઓ તેમજ કરવઠુંને લોકો શ્રદ્ધાપૂર્વક પૂરી કરે છે, ત્યારે પાટણમાં પણ આ પરંપરા શ્રીમાળી સામવેદી સમાજમાં અકબંધ રહેવા પામી છે.

Multibagger Stocks: 1 લાખનું રોકાણ કરનાર 1 વર્ષમાં બની ગયા અમીર, 4 ગણા થઈ ગયા રૂપિયા
JanDhan Account: શું તમે પણ ખોલાવ્યું છે જીરો બેલેન્સ એકાઉન્ટ? નાણામંત્રીએ કહી આ વાત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More