હિમાંશુ ભટ્ટ/મોરબી: હિન્દુ સંગઠનના કાર્યકર પર તલવાર અને ધારીયાથી હુમલો કરવાના મામલે હળવદમાં જૂથ અથડામણ થઈ છે. બેકરી શાકમર્કેટ તથા ભંગારના ડેલા સહિતની દુકાનોમાં આગ ચાંપવામાં આવી હતી. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પરિસ્થિતી પર કાબૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
સલીમ લોલાડીયા નામના શખ્સ દ્વારા 73 લાખ 70 હજારનું નુકશાન થવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે 30 આરોપીઓના નામ જોગ ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે 150 લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે