ગાંધીનગર : કોરોનાના આંકડા ગુજરાતમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરાયેલી ભીતિ કે જુન-જુલાઇમાં કોરોનાની વધારે એક લહેર આવી શકે છે સાચી ઠરશે કે શું તેવા સવાલો થઇ રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 27 કેસ નોંધાયા છે. બીજી તરફ 19 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,13,401 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કો રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં રસીના આજે કુલ 42,129 ડોઝ અપાયા હતા.
LRD LIVE: ભરતી બોર્ડે વિદ્યાર્થીઓને આપ્યા આધાતજનક સમાચાર, પરિણામ પણ જાહેર કરી દેવાયું
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 125 કેસ એક્ટિવ છે. જે પૈકી એક પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ 125 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 12,13,401 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જો કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 10,944 નાગરિકોનાં મોત પણ થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે એક નાગરિકનું ખેડામાં મોત નિપજ્યું છે. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 19, વડોદરા કોર્પોરેશનમાં 3, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, મહેસાણા અને રાજકોટ કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયા હતા.
એકની પાછળ એક એમ પાંચ ખટારાઓ ઘુસી જતા ભીષણ અકસ્માત, ડ્રાઇવર જીવતો ભુંજાઇ ગયો
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18 વર્ષથી વધારેની ઉંમરના 717 ને પ્રથમ તથા 8354 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના કિશોરો પૈકી 162 ને પ્રથમ અને 2158 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ ઉપરાંત 6645 ને પ્રિકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના તરૂણો પૈકી 4838 ને રસીનો પ્રથમ અને 19455 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે 42,129 કુલ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 10,81,57,779 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે