Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં સારા વરસાદથી ખરીફ વાવેતરમાં વધારો; જાણો કયા પાકનું કેટલા હેક્ટરમાં થયું વાવેતર?

ગુજરાતમાં ખરીફ વાવેતર 93.55 ટકા થયું છે. ગુજરાતમાં સારા વરસાદથી ખરીફ વાવેતરમાં વધારો થયો છે. ગત વર્ષે 78.88 લાખ હેક્ટરની સામે આ વર્ષે 80.42 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે.

ગુજરાતમાં સારા વરસાદથી ખરીફ વાવેતરમાં વધારો; જાણો કયા પાકનું કેટલા હેક્ટરમાં થયું વાવેતર?

ઝી બ્યુરો/ગાંધીનગર: ખેડૂતો માટે પણ રાહતના સમાચાર છે. જેમાં આ વખતે ખેતીનું વાવેતર પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં ખરીફ વાવેતર 93.55 ટકા થયું છે. ગુજરાતમાં સારા વરસાદથી ખરીફ વાવેતરમાં વધારો થયો છે. ગત વર્ષે 78.88 લાખ હેક્ટરની સામે આ વર્ષે 80.42 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. તમને જણાવી દઈએ કે ગત વર્ષની સરખામણીમાં રાજ્યમાં ખરીફ વાવેતરમાં વધારો થયો છે.

શું નવરાત્રિ અને દિવાળી સુધી લંબાશે ચોમાસું, જાણો અંબાલાલ પટેલની એક નવી નક્કોર આગાહી

કપાસનું સૌથી વધુ 26.76 લાખ હેક્ટરમાં 113 ટકા વાવેતર કરાયું છે. જ્યારે બાજરીનું 1.91 લાખ હેક્ટરમાં 108 ટકા વાવેતર થયું છે. ડાંગરનું 8.54 લાખ હેક્ટરમાં 101 ટકા વાવેતર થયું છે. જો કે મગફળીની વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ ઘટાડો થયો છે...આ વર્ષે મગફળીનું 16.33 લાખ હેક્ટરમાં વાવેતર કરાયું છે.

ગુજરાતની આ શાળાએ વિદ્યાર્થીઓને સાથે લઈને કેમ સ્મશાનમાં લહેરાવ્યો તિરંગો?

જો વાત પાકના વાવેતરની કરવામાં આવે તો ખરીફ વાવેતર ગત વર્ષની 78.88 લાખ હેક્ટરની સામે આ વર્ષે 80.42 લાખ હેક્ટર થયું છે. જેના કારણે વધુ પ્રમાણમાં ધાન્યની પ્રાપ્તિ થવાની પણ સંભાવના રહી છે. જેના કારણે અનાજનું પણ જથ્થો મળી રહશે.

LIVE VIDEO: એમ.એસ. યુનિવર્સિટીમાં ઝડપાઈ દારૂની મહેફિલ, વિદેશી શરાબ અને બાઇટિંગ મળ્યા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More