અમદાવાદ: લોકસભા ચૂંટણી 2019ના સાતેય તબક્કાનું મતદાન આજે પૂરું થયું. આ સાથે જ એક્ઝિટ પોલ આવવાનું શરૂ થઈ ગયું છે. અલગ અલગ એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએને બહુમત મળશે તેવું તારણ નીકળી રહ્યું છે. આ તમામ બાબતે ગુજરાતના જાણીતા જ્યોતિષાચાર્ય બેજન દારૂવાલાએ આ વખતની લોકસભા ચૂંટણી, પીએમ મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે ખાસ વાત કરી. આવો જાણીએ તેમણે શું કહ્યું.
એસ્ટ્રોલોજર બેજન દારૂવાલાએ કહ્યું કે થોડી મુશ્કેલી પડે પરંતુ આવશે તો મોદી જ. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે બોલતા તેમણે કહ્યું કે રાહુલને તો હું મળ્યો નથી. પણ મને લાગે છે કે તેઓ સારા માણસ છે. સીધા છે પરંતુ મોદીની ટક્કરમાં ઊભા રહી શકે તેમ નથી. મેં મોદીની કુંડળી જોઈ છે. વૃશ્ચિકના માણસ છે. ટેરો કાર્ડ દર્શાવીને તેમણે કહ્યું કે મોદીનો જન્મ 17 સપ્ટેમ્બરના રોજ થયો છે. કાર્ડમાં જોવા મળે છે કે એક સ્ત્રી પાણી ફેંકે છે. પાણી એટલે જિંદગી.
જુઓ LIVE TV
દારૂવાલાએ કહ્યું કે જો તમે મને પૂછો કે મોદીનો જન્મ શેના માટે થયો છે તો હું કહીશ કે પાવરના માટે તો છે જ, તાકાત માટે છે પરંતુ મારા હિસાબે જેમાં હું ખરો પણ હોઉ અને ખોટો પણ હોઈ શકું પરંતુ તેમનો જન્મ ગંગામૈયાને પવિત્ર કરવા માટે થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે