Home> Gujarat
Advertisement
Prev
Next

Coronaupdate: રાજ્યમાં કોરોના કેસ 850ને પાર, 14ના મોત; 441 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં સતત બીજા દિવસે કોવિડ-19ના દર્દીઓની સંખ્યા 800થી વધુ નોંધાય છે. કોરોના કહેરના કારણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 875 નવા કેસ નોંધાયા છે. જેમાં આજે ફરી સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં આજે 202 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજ રોજ 441 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,49,439 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Coronaupdate: રાજ્યમાં કોરોના કેસ 850ને પાર, 14ના મોત; 441 દર્દીઓ થયા સાજા

ગાંધીનગર: રાજ્યમાં સતત બીજા દિવસે કોવિડ-19ના દર્દીઓની સંખ્યા 800થી વધુ નોંધાય છે. કોરોના કહેરના કારણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 875 નવા કેસ નોંધાયા છે. જેમાં આજે ફરી સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં આજે 202 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજ રોજ 441 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,49,439 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:- આગામી 3 દિવસ રાજકોટ વાસીઓ નહિ લગાવી શકે ચાની ચૂસકી

રાજ્યમાં આજે કોવિડ-19ના કારણે 14 વ્યક્તિઓના મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 3, અરવલ્લીમાં 1, ગાંધીનગરમાં 1, જામનગરમાં 1, જૂનાગઢ કોર્પોરેશનમાં 1, મહેસાણામાં 1 અને સુરતમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજે કુલ 3,04,048 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 3,01,077 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 2,971 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો:- રાજકોટ જિલ્લા બેંકની ચૂંટણી: ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણીની તમામ બેઠક બિનહરીફ થશે

આજના રાજ્યમાં કુલ 875 નવા કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 202, અમદાવાદ કોર્પોરેશનમાં 153, સુરતમાં 67, વડોદરા કોર્પોરેશનમાં 61, ભાવનગર કોર્પોરેશનમાં 59, નવસારીમાં 27, રાજકોટ કોર્પોરેશનમાં 24, સુરેન્દ્રનગરમાં 23, ગાંધીનગરમાં 21, મહેસાણામાં 21, ખેડામાં 17, જામનગર કોર્પોરેશનમાં 15, રાજકોટમાં 15, બનાસકાંઠામાં 14, ભરૂચમાં 14, જુનાગઢ કોર્પોરેશનમાં 13, અમદાવાદમાં 12, ભાવનગરમાં 12, ગીર સોમનાથમાં 11, ગાંધીનગર કોર્પોરેશનમાં 10, દાહોદમાં 8, જામનગરમાં 8, સાબરકાંઠામાં 8, વડોદરામાં 8, આણંદમાં 7, પંચમહાલમાં 7, જુનાગઢમાં 5, મોરબીમાં 5, વલસાડમાં 5, છોટા ઉદેપુરમાં 4, કચ્છમાં 4, પાટણમાં 4, અમરેલીમાં 3, તાપીમાં 3, અરવલ્લીમાં 2, બોટાદમાં 2, પોરબંદરમાં 1, નર્મદામાં 0 અને અન્ય રાજ્યમાં 0 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો:- ટોસિલીઝુમેબ ઇન્જેક્શનની કાળા બજારી અંગે વડોદરાના ડો. શીતલ મીસ્ત્રીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

આ ઉપરાંત રાજ્યમાં 441 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 75, અમદાવાદ કોર્પોરેશનમાં 149, સુરતમાં 43, વડોદરા કોર્પોરેશનમાં 4, નવસારીમાં 16, રાજકોટ કોર્પોરેશનમાં 3, સુરેન્દ્રનગરમાં 15, ગાંધીનગરમાં 4, મહેસાણામાં 7, ખેડામાં 11, ભરૂચમાં 9, અમદાવાદમાં 12, ભાવનગરમાં 12, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, સાબરકાંઠામાં 2, વડોદરામાં 9, આણંદમાં 8, પંચમહાલમાં 3, મોરબીમાં 2, વલસાડમાં 4, કચ્છમાં 7, પાટણમાં 21, અમરેલીમાં 3, અરવલ્લીમાં 4, બોટાદમાં 2, નર્મદામાં 2 અને અન્ય રાજ્યમાં 12 દર્દી ઘરે પરત ફર્યા છે.

આ પણ વાંચો:- આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે બેઠક પૂર્ણ, 2018ના પરિપત્રના આધારે નિમણૂક ન આપવા રજૂઆત

રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસ 9,948 છે. જેમાં વેન્ટીલેટર પર 68 દર્દીઓ છે. જ્યારે સ્ટેબલ 9,880 દર્દીઓ છે. જ્યારે 27,183 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો કુલ મૃત્યુઆંક 2024 પર પહોંચ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More