ઓસ્લો: સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કાર (Nobel Prize for Peace) મળ્યો છે. દુનિયામાં ભૂખ સામે લડવાની કોશિકાઓ અને યુદ્ધગ્રસ્ત ક્ષેત્રોમાં શાંતિ સ્થાપનાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (World Food Programme)ને શાંતિના નોબેલ પુરસ્કાર (Nobel Prize for Peace) માટે સિલેક્ટ કરવામાં આવ્યો છે.
ભૂખ સામે લડવા માટે પુરસ્કાર
નોબેલ કમિટીએ કહ્યું 'ભૂખને યુદ્ધ અને સંઘર્ષના હથિયારના રૂપમાં ઉપયોગ કરતાં રોકવા માટે કરવામાં આવતા પ્રયત્નોમાં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP)એ અગ્રણી ભૂમિકા ભજવી છે. આ પુરસ્કારની ઇનામ રકમ 11 લાખ ડોલર છે.
કરોડો લોકો સુધી પહોંચાડ્યું ભોજન
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ હેઠળ આ વર્ષે યૂએનએ યમનથી માંડીને ઉત્તર કોરિયા સુધી કરોડો લોકોને ભોજન ઉપલબ્ધ કરાવ્યું. ખાસકરીને કોરોના મહામારીના સમયમાં તેની ભૂમિકા પ્રશંસાનિય રહી. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામએ પુરસ્કાર મળ્યા બાદ કહ્યું કે સારા કામને ઓળખ મળવી જોઇએ.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે