Home> World
Advertisement
Prev
Next

SCO Summit-2023: ભારતે એસસીઓની બેઠકમાં ભાગ લેવા મોકલ્યું આમંત્રણ તો શું બોલ્યું પાકિસ્તાન?

એસસીઓના આઠ ૂપર્ણ સભ્ય છે, જેમાં છ સંસ્થાપક સભ્યો, ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તાઝિકિસ્તાન અને ઉઝ્બેકિસ્તાન સામેલ છે. ભારત અને પાકિસ્તાન 2017માં પૂર્ણ સભ્યના રૂપમાં સામેલ થયા હતા. 

SCO Summit-2023: ભારતે એસસીઓની બેઠકમાં ભાગ લેવા મોકલ્યું આમંત્રણ તો શું બોલ્યું પાકિસ્તાન?

નવી દિલ્હીઃ Goa SCO Summit-2023: ભારતે પાકિસ્તાનને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની ઉચ્ચ સ્તરીય બેઠક માટે આમંત્રણ આપ્યું છે. SCOના વિદેશ મંત્રીઓની બેઠક મેના પ્રથમ સપ્તાહમાં ગોવામાં યોજાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીને ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભારતના આમંત્રણ પર, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ગુરુવારે (26 જાન્યુઆરી) કહ્યું કે પાકિસ્તાન અને ભારત SCOના સભ્ય છે. ભારત 2022-2023 માટે SCO કાઉન્સિલ ઓફ હેડ ઓફ સ્ટેટની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ આમંત્રણો પર પ્રમાણભૂત પ્રક્રિયાઓ અનુસાર પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચોઃ 30 વર્ષની છોકરીએ પોતાના જ 59 વર્ષના પિતરાઈ ભાઈ સાથે કર્યા લગ્ન! ટ્રોલ થયા તો......

ભારત SCOનું વર્તમાન પ્રમુખ છે
ભારત હાલમાં આઠ દેશો સાથે SCOનું અધ્યક્ષ છે. પીટીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે નિમંત્રણ યોગ્ય પ્રક્રિયા મુજબ મોકલવામાં આવ્યા હતા. જો પાકિસ્તાન આમંત્રણ સ્વીકારે છે, તો 2011માં હિના રબ્બાની ખાર પછી પાકિસ્તાની વિદેશ મંત્રીની આ પ્રથમ ભારત મુલાકાત હશે. ખાર હાલમાં વિદેશ રાજ્ય મંત્રી છે.

હિના રબ્બાની ખારે નિવેદન આપ્યું હતું
દરમિયાન, હિના રબ્બાની ખારે ગુરુવારે (26 જાન્યુઆરી) કહ્યું કે વર્તમાન સરકાર સત્તામાં આવી ત્યારથી પાકિસ્તાન અને ભારત વચ્ચે કોઈ બેકચેનલ ડિપ્લોમસી ચાલી રહી નથી. તેમણે કહ્યું, "આ સમયે, આવી કોઈ વાત ચાલી રહી નથી." રબ્બાનીનું નિવેદન ભારત તરફથી મોકલવામાં આવેલા આમંત્રણ બાદ આવ્યું છે.

આ પણ વાંચોઃ કોરોના પછી અહીં ફેલાયો નવો રહસ્યમય રોગ, લોકો ઘરોમાં કેદ

શાહબાઝ શરીફે કરી હતી શાંતિ વાર્તાની રજૂઆત
ભુટ્ટો ઝરદારીને આમંત્રણ પાકિસ્તાની પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ તરફથી ભારત અને પાકિસ્તાનની વચ્ચે દ્વિપક્ષીય વાર્તાની રજૂઆતના થોડા દિવસ બાદ મોકલવામાં આવ્યું હતું. શરીફે સંયુક્ત અરબ અમીરાતના અલ અરબિયા ન્યૂઝ ચેનલ સાથે વાતચીતનો પ્રયાસ આપ્યો હતો. પરંતુ પાકિસ્તાનના પ્રધાનમંત્રી કાર્યાલયે બાદમાં કહ્યું હતું કે કાશ્મીર પર 2019ની કાર્યવાહીમાં ફેરફાર કરવા સુધી ભારત સાથે વાતચીત સંભવ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More