Home> World
Advertisement
Prev
Next

Pakistan ના સિંધ પ્રાંતમાં શિયાના સરઘસમાં બોમ્બ બ્લાસ્ટ, 3 ના મોત; 40 લોકો ઘાયલ

અફઘાનિસ્તાનમાં કટ્ટરપંથી તાલિબાનના કબજા બાદ તેની આડઅસર પાકિસ્તાનમાં પણ દેખાવા લાગી છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ગુરુવારે વિસ્ફોટ થયો હતો, જેમાં શિયા સમુદાયના 3 લોકો માર્યા ગયા હતા.

Pakistan ના સિંધ પ્રાંતમાં શિયાના સરઘસમાં બોમ્બ બ્લાસ્ટ, 3 ના મોત; 40 લોકો ઘાયલ

ઇસ્લામાબાદ: અફઘાનિસ્તાનમાં કટ્ટરપંથી તાલિબાનના કબજા બાદ તેની આડઅસર પાકિસ્તાનમાં પણ દેખાવા લાગી છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ગુરુવારે વિસ્ફોટ થયો હતો, જેમાં શિયા સમુદાયના 3 લોકો માર્યા ગયા હતા. હંમેશાથી પાકિસ્તાન આતંકવાદને પોષતુ આવ્યું છે. પણ કહેવાય છેકે, જે બીજાના માટે ખાડો ખોદે છે એક દિવસ તે પોતે જ તેમાં પડે છે. નાપાક પાકિસ્તાન સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. હંમેશાથી પાકિસ્તાન ભારત સાથે કોઈકને કોઈક વાતે અવળચંડાઈ કરતું આવ્યું છે. એજ કારણ છેકે, તેના ભાગ રૂપે પાકિસ્તાનમાં અવાર નવાર હુમલા થતા રહે છે અને પોતાના જ કરેલાં પોતાના હૈયે વાગે છે.

સિંધ પ્રાંતમાં સરઘસ પર હુમલો કરાયો:
મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના સિંધ પ્રાંતના બહવાન નગરમાં શિયા સમુદાયના લોકો તેમનું સરઘસ કાઢી રહ્યા હતા. તે દરમિયાન સરઘસ પર હુમલો થયો હતો. આ હુમલામાં 3 લોકોના મોત થયા. જ્યારે લગભગ 40 લોકો ઘાયલ થયા હતા. હુમલા બાદ ઘટનાસ્થળે ભાગદોડ મચી ગઈ હતી. જેની આડમાં હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા.

મુસ્લિમ દેશમાં શિયાઓનું જીવન જોખમમાં છે:
જણાવી દઈએ કે ભલે પાકિસ્તાન એક ઈસ્લામિક દેશ છે. પરંતુ ત્યાં શિયા, અહમદી અને કાદિયાની મુસ્લિમો હંમેશા કટ્ટરવાદીઓના નિશાન રહ્યા છે. કટ્ટરવાદીઓના દબાણ હેઠળ પાકિસ્તાન સરકારે કાયદો બનાવીને અહમદીઓને બિન-મુસ્લિમ જાહેર કર્યા છે. એટલું જ નહીં સમયાંતરે કટ્ટરવાદીઓ શિયા મુસ્લિમો પર હુમલા કરતા રહે છે. જ્યારે શિયાઓ મોહરમની આસપાસ તેમના શોક સરઘસ કાઢે છે, ત્યારે કટ્ટરવાદીઓ તેમના પર હુમલો કરવામાં અચકાતા નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More