નવી દિલ્હી: શું ખરેખર દુનિયાને બચાવવા માટે આપણી પાસે ફક્ત એક મહિના જેટલો જ સમય રહ્યો છે? હકીકતમાં દુનિયા પર હવે મહાવિનાશની ઘંટી વાગવા માંડી છે. જે દુનિયા માટે સૌથી મોટી ચિંતાનો વિષય બની છે. NASAએ પોતે એ વાતની પુષ્ટિ કરી છે કે આવનારી 29 એપ્રિલના રોજ દુનિયા બદલાઈ શકે છે.
શું છે તેની પાછળના કારણો?
1. એપ્રિલમાં અંતરિક્ષમાંથી એક Asteroid પૃથ્વી સાથે ટકરાઈ શકે છે.
2. આ Asteroid ની ઝડપ 31 હજાર કિમી/કલાક ગણાવવામાં આવી રહી છે.
3. વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ આ Asteroid હિમાલય જેટલો મોટો હોવાનું કહેવાય છે.
4. NASAએ આ Asteroid ધરતીની ખુબ જ નજીકથી પસાર થાય તે વાતની પુષ્ટિ કરી છે.
5. વૈજ્ઞાનિકોને આશંકા છે કે જો આ Asteroid ધરતી સાથે ટકરાય તો મહાવિનાશ થશે. બની શકે કે દુનિયામાંથી સમગ્ર માનવસભ્યતાનો જ અંત થઈ જાય.
Corona Virus: ચીન બાદ હવે આ દેશમાં હાહાકાર, 100 લોકોના મોત, શાળા-કોલેજો બંધ
અબજો પહેલા થયો હતો મહાવિનાશ
અબજો પહેલા જ્યારે Asteroid ધરતી સાથે ટકરાયો હતો ત્યારે ડાયનાસોર યુગનો અંત થયો હતો. 2020માં પણ આવો જ ડર આવી જ દહેશત ફરી એકવાર દુનિયા પર મંડરાવવા લાગી છે. મોટા મોટા વૈજ્ઞાનિકોની ઊંઘ ઉડી ગઈ છે. સુપરપાવર અમેરિકા સુદ્ધા ગભરાયેલુ છે. કારણ કે NASAએ પુષ્ટિ કરી છે કે આવો જ એક વિશાળ Asteroid એકવાર ફરીથી ધરતીની ખુબ નજીકથી પસાર થવાનો છે. દુનિયા બદલી નાખનારી આ તારીખ 29 એપ્રિલ હોઈ શકે છે.
NASAનું માનીએ તો હાલ જો કે ચિંતાની વાત નથી. પરંતુ અનેક વૈજ્ઞાનિકો આમ છતાં આશંકા વ્યક્ત કરી રહ્યાં છે કે જો તેના ટાઈમિંગમાં થોડી સેકન્ડનો પણ ફેરફાર થયો તો આ Asteroid ધરતી સાથે ટકરાઈ શકે છે અને ત્યારે શક્ય છે કે ત્યારબાદ ડાઈનાસોરની જેમ સમગ્ર માનવ સભ્યતાનો પણ અંત થઈ જાય.
ઇઝરાયલના પીએમ નેતન્યાહુ બોલ્યા- કોરોનાથી બચવું હોય તો કરો 'નમસ્તે'
ધરતી સાથે ટકરાયો હતો તબાહી મચાવનારો Asteroid
સૌથી પહેલા તમને આ Asteroid નું નામ જણાવી દઈએ. જેને 52768 (1998 IR2)નામ આપવામાં આવ્યું છે. તેની ઝટપ 19હજાર માઈલ/કલાક છે. વૈજ્ઞાનિકોનો અંદાજો છે કે આ Asteroid માઉન્ટ એવરેસ્ટ જેટલો વિશાળ હોઈ શકે છે અને ધરતી સાથે ટકરાયો તો તબાહી મચી શકે છે.
6.6 કરોડ વર્ષ અગાઉ જે એસ્ટેરોઈડના ધરતી સાથે ટકરાવવાથી ડાઈનાસોર ખતમ થઈ ગયા હતાં તેની ઝડપ 40 હજાર માઈલ પ્રતિ કલાક હતી. તે સમયે એસ્ટેરોઈડની ટક્કર એટલી જબરદસ્ત હતી કે તેનાથી ધરતી પરનું જીવન ત્રણવાર ખતમ થઈ શકત.
જુઓ LIVE TV
Asteroidની ટક્કરથી થયો હતો ડાઈનાસોર યુગનો અંત
6.6 કરોડ વર્ષ અગાઉ મેક્સિકોના યુકટોન પ્રાયદ્વીપ સાથે Asteroidની ટક્કર થઈ હતી. જેના કારણે ત્યાં 111 માઈલ પહોળો અને 20 માઈલ ઊંડો ખાડો પડી ગયો હતો. વૈજ્ઞાનિકોએ આ ખાડાની તપાસ કરી તો ત્યાંના પથ્થરમાંથી સલ્ફર કમ્પાઉન્ડ મળી આવ્યાં હતાં. Asteroidની ટક્કરથી આ પથ્થર બાષ્પમાં ફેરવાઈ ગયો હતો અને જેણે હવામાં ધૂળનું વાદળું બનાવી દીધુ હતું. પરિણામ એ થયું કે સમગ્ર ધરતી ઠંડી થઈ ગઈ અને એક દાયકા સુધી આવી સ્થિતિ રહી. આવા હાલાતમાં મોટાભાગના જીવોના મોત થઈ ગયા અને ડાયનાસોર યુગનો પણ અંત થઈ ગયો.
જો કે 2020ના આ એસ્ટેરાઈડ અંગે કહેવાય છે કે તેની ઝડપ ડાયનાસોર યુગને ખતમ કરનારા એસ્ટેરાઈડથી અડધી છે. પરંતુ તમે એ વાતનો અંદાજો લગાવો કે દુનિયા પર અંતરિક્ષમાંથી કેટલું મોટું જોખમ આવી રહ્યું છે અને વૈજ્ઞાનિકો તેને લઈને કેમ આટલા ચિંતિત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે