Home> World
Advertisement
Prev
Next

Pakistan Economic Crisis: જો આ થયું તો પાકિસ્તાનના પરમાણુ બોમ્બ 'છીનવી' લેશે અમેરિકા!

Pakistan Nuclear Bomb: પાકિસ્તાનના પરમાણુ હથિયારોની સુરક્ષા હંમેશા વિવાદમાં રહી છે. પાકિસ્તાન એકમાત્ર એવો દેશ છે જેણે લીબિયા, ઈરાન અને ઉત્તર કોરિયાને ખોટી રીતે પરમાણુ હથિયારોની ટેકનોલોજી આપી છે. આ સ્થિતિમાં સવાલ એ છે કે જો પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો તેના પરમાણુ બોમ્બનું શું થશે?

Pakistan Economic Crisis: જો આ થયું તો પાકિસ્તાનના પરમાણુ બોમ્બ 'છીનવી' લેશે અમેરિકા!

Islamabad: શું પાકિસ્તાન તૂટી જશે? જો તે બરબાદ થઈ જશે તો તેના પરમાણુ બોમ્બનું શું થશે? આ દિવસોમાં આ એક સામાન્ય પ્રશ્ન છે. કારણ કે પાકિસ્તાન આ સમયે પૈસાની અછતનો સામનો કરી રહ્યું છે. ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો પાકિસ્તાન મે સુધીમાં ડિફોલ્ટ થઈ જશે. પૈસાની અછતને કારણે પાકિસ્તાન ગૃહયુદ્ધ તરફ પણ આગળ વધી શકે છે. 

પાકિસ્તાન જેવા દેશમાં કોઈ ધાર્મિક કટ્ટરપંથી જૂથ અચાનક ઉછળે અને સત્તા પર આવે તેવી શક્યતા છે. પરમાણુ સંપન્ન દેશમાં અસ્થિરતા વિશ્વ માટે ખતરો બની શકે છે. પાકિસ્તાનમાં આવું થઈ શકે છે, આ શક્યતા અમેરિકાએ ઘણા સમય પહેલાં અનુભવ્યું છે. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે તેણે ઘણા સમય પહેલા તૈયારી કરી લીધી હતી.

મહેસાણામાં એજન્ટોએ ખોલી છે લૂંટની દુકાન, VIDEOમાં જુઓ કેવી રીતે ચાલે છે ષડયંત્ર?

અમેરિકાએ પાકિસ્તાન માટે ઈમરજન્સી પ્લાન બનાવ્યો છે. આ પ્લાનનું નામ છે 'Snatch and Grab', એટલે કે હથિયારો છીનવી લો અને તેને તમારા કબજામાં લો. 9/11ના આતંકી હુમલા બાદ પાકિસ્તાન અમેરિકાની નજરમાં છે. કારણ કે પાકિસ્તાન એકમાત્ર ઇસ્લામિક દેશ છે જેની પાસે પરમાણું હથિયાર છે. જો તે ખોટા હાથમાં જશે તો તે આખી દુનિયા માટે ખતરો બની જશે. 2007માં પ્રકાશિત થયેલા ગાર્ડિયનના અહેવાલ મુજબ, અમેરિકાએ પાકિસ્તાનના પરમાણું હથિયારોને સુરક્ષિત રાખવા માટે 2001 થી 2007 સુધી $100 મિલિયનનો ખર્ચ કર્યો છે.

પાકિસ્તાન પર વિશ્વાસ ન કરો
પરંતુ એવી બે ઘટનાઓ દુનિયાની સામે આવી, જેણે પાકિસ્તાનના પરમાણુ બોમ્બ પર સવાલો ઉભા કર્યા.  2004માં જ્યારે પાકિસ્તાનના પરમાણુ બોમ્બના જનક AQ ખાન પર લિબિયા, ઈરાન અને ઉત્તર કોરિયાને હથિયારોના રહસ્યો વેચવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બીજી વખત 2011માં અમેરિકાએ પાકિસ્તાનમાં ઓસામા બિન લાદેનને મારી નાખ્યો હતો. 

ગાંધીનગરમાં પડ્યા એજન્ટ રાજના પડઘા! ઋષિકેશ પટેલે કહ્યું; 'અમે કડક કાર્યવાહી કરીશું'

વર્ષ 2011માં જ એક અહેવાલ મીડિયામાં આવ્યો હતો, જે મુજબ જો અમેરિકી રાષ્ટ્રપતિને લાગે છે કે પાકિસ્તાનના હથિયારો તેમના દેશ અથવા હિત માટે ખતરો છે તો તેઓ સ્નેચ એન્ડ ગ્રેબ પ્લાનને સક્રિય કરશે. અમેરિકા હંમેશા પાકિસ્તાનના પરમાણુ બોમ્બને ખતરો માને છે. કદાચ આ જ કારણ હતું કે વર્ષ 2022માં રાષ્ટ્રપતિ જો બિડેને પરમાણુ હથિયાર ધરાવતું પાકિસ્તાન વિશ્વ માટે ખતરો ગણાવ્યું હતું.

જો સ્નેચ એન્ડ ગ્રેબ પ્લાન સક્રિય થાય તો શું?
જો આ યોજના સક્રિય થશે તો શું અમેરિકન સેના પાકિસ્તાનમાં ઘૂસીને પરમાણુ હથિયારો કબજે કરશે? એક મોટો સવાલ એ પણ છે કે શું આ પ્લાન ઓસામાને મારવા જેટલો સરળ હશે અને પાકિસ્તાની સેના આમાં મદદ કરશે? આ અંગે કોઈ વિગતો જાહેરમાં નથી. આ અહેવાલ સામે આવ્યા બાદ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફે પણ યુદ્ધની વાત કરી હતી. 

ખુશખબર! WhatsApp પર ડિલીટ થયેલા મેસેજ વાંચવા માટે કરી શકો છો આ સરળ ટ્રીક

જનરલ મુશર્રફે કહ્યું હતું કે, 'પરમાણુ બોમ્બ કબજે કરવાનો પ્રયાસ પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ કરશે. આ પાકિસ્તાનની સંપત્તિ છે, જે આખા દેશમાં સુરક્ષિત સ્થળોએ છે. 18,000 થી વધુ સૈનિકો તેની સુરક્ષા કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More