Home> World
Advertisement
Prev
Next

કેનેડામાં 3 ભારતીયોની ધરપકડ, ખાલિસ્તાની અલગાવાદી નિજ્જરની હત્યા સાથે કનેક્શન

Nijjar Murder Case : કેનેડામાં ગત વર્ષે થયેલી ખાલિસ્તાની અલગાવવાદી નેતા નિજ્જરની હત્યાના મામલે 3 ભારતીયોની ધરપક્ડ કરવામાં આવી છે. કેનેડા પોલીસનું કહેવું છે કે આ ત્રણેયની ઓળખ સંદિગ્ધ તરીકે કરવામાં આવી હતી અને તલાશી અભિયાન દરમિયાન ત્રણેયની ધરપકડ કરી છે. 

કેનેડામાં 3 ભારતીયોની ધરપકડ, ખાલિસ્તાની અલગાવાદી નિજ્જરની હત્યા સાથે કનેક્શન

Khalistani terrorist: કેનેડા પોલીસે ખાલિસ્તાની અલગાવવાદી હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં શુક્રવારે ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. મીડિયા અહેવાલોમાં આ જાણકારી આપવામાં આવી છે. પોલીસનું માનવું છે કે ધરપકડ કરવામાં આવેલા લોકો તે કથિત ગ્રુપના સભ્ય છે જેમને ગત વર્ષે ભારત સરકારે નિજ્જરની હત્યા કરવાનું કામ સોંપ્યું હતું.  

ભારતની સૌથી મોંઘી કેરી જે મુઘલ રાણીના નામથી છે મશહૂર, દેશમાં ફક્ત 3 જ આંબા

ગત વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ ભારતીય એજન્ડો પર નિજ્જરની હત્યા સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ આવી હતો હતો. ભારતે ટ્રૂડોના આરોપો 'બેતુકા' અને 'પ્રેરિત' નકારી કાઢ્યા હતા. સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે પોલીસે કેનેડાના ઓછામાં ઓછા બે પ્રાંતોમાં ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન શુક્રવારે આ લોકોની ધરપકડ કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે થોડા મહિનાઓ પહેલાં પોલીસે આ લોકોની ઓળખ નિજ્જરની હત્યામાં સામેલ લોકોના જૂથ તરીકે કરી હતી અને પોલીસ તેમના પર નજર રાખી રહી હતી.

સરકાર બદલી રહી છે કોલિંગનો નિયમ, કોલ આવશે ત્યારે નંબર સાથે દેખાશે આ ખાસ જાણકારી
New Rules: વીમા પોલિસી લેવા માટે હવે નવો નિયમ, પોલિસીનું પ્રીમિયમ 10 થી 15% વધશે!

શૂટર છે યુવક
સૂત્રોના અનુસાર ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમના પર આરોપ છે કે જે દિવસે નિજ્જરની બ્રિટિશ કોલંબિયા સ્થિત ગુરૂદ્વારની બહાર હત્યા કરવામાં આવી હતી. તે દરમિયાન આ લોકોએ શૂટર, ડ્રાઇવર વગેરેનું કામ કર્યું હતું. સીટીવી ન્યૂઝના એક વરિષ્ઠ સરકારી સૂત્રના હવાલેથી જણાવ્યું કે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમના પર નિજ્જરની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 

મધરાતે ચાદર લપેટી હોટલમાંથી બહાર નીકળી ઇન્ટરનેશનલ પોપ સેન્સેશન, ઓશિકાથી છાતી ઢાંકી
Maruti Suzuki ની CNG કાર ખરીદવી છે? આ મોડલ્સની છે સૌથી વધુ ડિમાન્ડ

ભારતીય નાગરિકના રૂપમાં ઓળખ
કોર્ટના દસ્તાવેજોથી ખબર પડે છે કે કરણપ્રીત સિંહ, કમલપ્રીત સિંહ અને કરણ બરાડ પર નિજ્જરની હત્યા અને હત્યાનું કાવતરું રચવાનો આરોપ છે. ગ્લોબલ ન્યૂઝના એક સમાચારમાં સંદિગ્ધોની ઓળખ ભારતીય નાગરિકોના રૂપમાં કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે 'કેનેડાઇ પોલીસે નિજ્જરને ગોળી મારી હત્યા કર્યાના એક વર્ષ બાદ શુક્રવારે સવારે ભારતીય નાગરિકોની ધરપકડ કરી લીધી. 

CBSE 10th 12th result 2024: CBSE ધો.10-12 પરિણામ પર મોટી અપડેટ, ક્યારે આવશે રિઝલ્ટ?
Tour Detail: સસ્તામાં બૈરા-છોકરાને બતાવી દો ગુજરાત, આખું વરહ ઘરમાં નહી થાય કકળાટ

સ્ટૂડન્ટ વીઝા પર આવ્યા હતા આરોપી
સૂત્રોના અનુસાર સંદિગ્ધોએ સ્ટૂડન્ટ વીઝા પર કેનેડામાં પ્રવેશ કર્યો હતો, પરંતુ બની શકે છે કે જ્યારે તેમણે નિજ્જરને ગોળી મારી તો તે ભારતીય ગુપ્તચર વિભાગના નિર્દેશ પર કામ કરી રહ્યા હતા. પોર્ટફોલિયામેન્ટ હિલ પર પત્રકારો સાથે વાત કરતાં કેનેડાના રક્ષા મંત્રીએ ભારત સરકારના સંબંધની પુષ્ટિ કરવાની મનાઇ કરી દીધી અને કહ્યું કે ફક્ત કેનેડિયન પોલીસ જ આ પ્રશ્નનો વધુ સારી રીતે જવાબ આપી શકે છે.

શર્માજી કી લવસ્ટોરી: લગ્ન પહેલાં રોહિત શર્માના દિલ પર રાજ કરતી હતી આ બોલીવુડ હસીના
Mukesh Ambani ની પીચ પર બેટિંગ કરશે Gautam Adani, બનાવ્યો 11,520 કરોડ રૂપિયાનો પ્લાન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More