અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને યોગિની એકાદશી કહેવાય છે. આ વર્ષે બે જુલાઈએ યોગિની એકાદશી ઉજવાશે.
સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે યોગિની એકાદશીનો દિવસ વિશેષ ગણાય છે આ દિવસે તુલસીનો ઉપાય કરવાથી ધન લાભ થાય છે.
એકાદશી એ માતા તુલસીની પૂજા કરવી જોઈએ.
તુલસી ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે. તેમની પૂજા પણ તુલસી વિના અધૂરી ગણાય છે.
યોગિની એકાદશીથી શરૂ કરીને રોજ વિધિ વિધાનથી તુલસીના ઝાડ પાસે રાત્રે ઘીનો દીવો કરવો જોઈએ..
એકાદશીના દિવસે તુલસીના પાન તોડવાની ભૂલ કરવી નહીં તેનાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ નારાજ થાય છે