લસણમાં એન્ટી ઓક્સીડેંટ, એન્ટી ફંગલ સહિતના ઔષધીય ગુણ હોય છે.
ઘીમાં ઓમેગા 3 ફેટી એસિડ અને અન્ય ઔષધીય ગુણ હોય છે જે શરીર માટે જરૂરી હોય છે.
લસણ અને ઘીને સાથે ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે.
જે લોકોને સ્કીન પ્રોબ્લેમ હોય તેમણે ઘી અને લસણ ખાવા જોઈએ.
લસણ અને ઘી અસ્થમાના દર્દી માટે લાભકારી છે. તેનાથી શ્વાસની સમસ્યામાં રાહત થાય છે.
લસણને ઘીમાં શેકીને નિયમિત ખાવાથી પાચનતંત્ર સારું રહે છે.
વાત અને પિત્ત દોષમાં પણ લસણ અને ઘી લાભ કરે છે.
વરસાદી વાતાવરણમાં વાયરલ ફીવર વારંવાર થાય છે. આ સમયે ઘી અને લસણ ખાઈ શકાય છે.
તેના માટે એક ચમચી ઘીને ગરમ કરી તેમાં એક લસણની કળી સાંતળી લેવી. તેને હુંફાળા પાણી સાથે ખાવું.