જિયોએ પોતાના તમામ રિચાર્જ પ્લાન્સના ભાવમાં વધારો કરી દીધો છે. જો કે ગ્રાહકો પાસે 3 જુલાઈ સુધી જૂના ભાવે પોતાનો નંબર રિચાર્જ કરાવવાનો વિકલ્પ હજુ પણ છે. પરંતુ જિયોએ પોતાના રિચાર્જ પોર્ટફોલિયોથી બે પ્લાન કાઢી નાખ્યા છે. આ બંને પ્લાન વેલ્યૂ ફોર મની રિચાર્જ હતા. જો કંપની આ બે પ્લાન્સના રિચાર્જ ઓપ્શન રાખત તો તેમને કદાચ ભવિષ્યમાં નુકસાન પણ થઈ શકે તેમ હતું. જેને જોતા હાલ કંપનીએ આ બંને પ્લાનને રિમૂવ કર્યા છે.
બે સસ્તા પ્લાન
હવે કેટલામાં આવશે પ્લાન
જિયોએ આ બંને પ્લાન્સને અનલિમિટેડ 5જી લિસ્ટ સાથે જ પોતાના રિચાર્જ પોર્ટફોલિયોથી પણ રિમૂવ કર્યા છે. નવી યાદીમાં આ પ્લાન વધેલી કિંમત સાથે મળશે. કંપનીએ 1559 રૂપિયાના પ્લાનની કિંમત વધારીને 1899 રૂપિયા કરી દીધી છે.
આ પ્લાન હજુ પણ 24જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ, અને 3600 એસએમએસ સાથે 336 દિવસની વેલિડિટી માટે આવશે. 395 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો 3 જુલાઈથી આ પ્લાન 479 રૂપિયામાં મળશે. જેમાં 84 દિવસની વેલિડિટી માટે 6ડીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને બીજા બેનિફિટ્સ મળશે.
અનલિમિટેડ 5જી ડેટા નહીં મળે
અત્રે જણાવવાનું કે કંપનીએ પોતાના પ્રીપેઈડ અને પોસ્ટપેઈડ બંને પ્લાન્સની કિંમતોમાં વધારો કર્યો છે. હવે જિયોના પ્રીપેઈડ પ્લાન્સની શરૂઆત 155 રૂપિયાની જગ્યાએ 189 રૂપિયાથી થશે. જ્યારે કંપનીનો પોસ્ટપેઈડ પ્લાન 299 રૂપિયાની જગ્યાએ 349 રૂપિયાની કિંમત પર મળશે. ધ્યાન રાખવું કે કંપની હવે અનલિમિટેડ 5જીની સુવિધા ફક્ત ડેઈલી 2જીબી અને તેની ઉપરના ડેટાવાળા પ્લાન્સમાં આપી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે