Home> Sports
Advertisement
Prev
Next

IPL 2023 સાથે ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓના કરિયરનો આવ્યો અંત! અચાનક દુનિયા માટે બની ગયા વિલન

Team India: IPL 2023ની વિસ્ફોટક સિઝન પૂરી થઈ ગઈ છે અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે પાંચમી વખત આઈપીએલ ટ્રોફી જીતી છે. IPL 2023ની સિઝન પૂરી થતાની સાથે જ ટીમ ઈન્ડિયાના 3 ક્રિકેટરોનું IPL કરિયર લગભગ પૂરું થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે. આ સિઝનમાં ખરાબ પ્રદર્શન બાદ હવે કોઈ પણ ટીમ આગામી IPL 2024 સિઝનમાં આ 3 ખેલાડીઓને પોતાની સાથે જોડવા માંગશે નહીં.

IPL 2023 સાથે ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓના કરિયરનો આવ્યો અંત! અચાનક દુનિયા માટે બની ગયા વિલન

Team India Cricketers: IPL 2023 ની વિસ્ફોટક સીઝન પૂરી થઈ ગઈ છે અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે પાંચમી વખત આઈપીએલ ટ્રોફી જીતી છે. IPL 2023ની સિઝન પૂરી થતાની સાથે જ ટીમ ઈન્ડિયાના 3 ક્રિકેટરોનું IPL કરિયર લગભગ પૂરું થઈ ગયુ હોવાનું માનવામાં આવે છે. આ સિઝનમાં ખરાબ પ્રદર્શન બાદ હવે કોઈ પણ ટીમ આગામી IPL 2024 સિઝનમાં આ 3 ખેલાડીઓને પોતાની સાથે જોડવા માંગશે નહીં. IPL 2023માં તેમના ખરાબ પ્રદર્શનને કારણે આ 3 ક્રિકેટર્સ અચાનક ફેન્સ માટે વિલન બની ગયા. આ 3 ભારતીય ખેલાડીઓનું IPL કરિયર આ સિઝનમાં જ ખતમ થાય તેમ લાગે છે.

1. મનીષ પાંડે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટની જેમ મનીષ પાંડેની આઈપીએલ કારકિર્દી પણ ખતમ થવાના આરે પહોંચી ગઈ છે. IPL 2023માં, મનીષ પાંડે 10 મેચોમાં 17.78ની ખૂબ જ નબળી એવરેજથી માત્ર 160 રન જ બનાવી શક્યો. IPL 2023માં મનીષ પાંડેનું પ્રદર્શન ઘણું નિરાશાજનક છે. મનીષ પાંડે આઈપીએલ 2023માં ટીમમાં હતો કે નહીં તેનાથી દિલ્હી કેપિટલ્સને કોઈ ફરક પડ્યો નથી. મનીષ પાંડે કદાચ આ વર્ષે તેની છેલ્લી IPL સિઝન રમી ચૂક્યો છે. કોઈ પણ ટીમ આવતા વર્ષે IPL 2024ની હરાજીમાં મનીષ પાંડેને સામેલ કરવા માંગતી નથી. તમને જણાવી દઈએ કે દિલ્હી કેપિટલ્સે આ વર્ષે મનીષ પાંડે પર ઘણો વિશ્વાસ દર્શાવ્યો હતો અને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો..

આ પણ વાંચો:
સવાર સવારમાં આવ્યા મોટા ખુશખબર! LPG સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
ગાભા કાઢી નાખશે ગરમી! અગનભઠ્ઠીની જેમ તપશે ગુજરાત, અમદાવાદીઓ ખાસ સાચવજો
1 June 2023: આજથી બદલી ગયા આ નિયમ, જાણો તમારા ખિસ્સા પર કેટલી થશે અસર

2. મનદીપ સિંહ
મનદીપ સિંહ IPL 2023માં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર બેટ્સમેન છે. IPL 2023માં, મનદીપ સિંહ 3 મેચમાં 4.67ની ખૂબ જ નબળી એવરેજથી માત્ર 14 રન જ બનાવી શક્યો હતો. IPL 2023માં ભાગ્યે જ કોઈ બેટ્સમેને આટલું ખરાબ પ્રદર્શન કર્યું હોય. મનદીપ સિંહ IPL 2023 સીઝનમાં અત્યાર સુધી માત્ર 2, 0 અને 12 રન જ બનાવી શક્યો છે. આઈપીએલ 2023માં આ વખતે મનદીપ સિંહનું બેટ સંપૂર્ણપણે શાંત થઈ ગયું છે. 31 વર્ષીય બેટ્સમેન મનદીપ સિંહને IPLમાં ઘણી તકો મળી છે, જેને તેણે ખરાબ રીતે વેડફી નાખી છે. આઈપીએલ 2023ના આ ફ્લોપ શો બાદ મનદીપ સિંહની આઈપીએલ કારકિર્દી આ સિઝનમાં ખતમ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.

3. મયંક અગ્રવાલ
IPL 2023ના ફ્લોપ શો બાદ મયંક અગ્રવાલનું IPL કરિયર આ સિઝનમાં ખતમ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. મયંક અગ્રવાલના ખરાબ પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયો હતો. IPL 2023 માં, મયંક અગ્રવાલ 10 મેચોમાં 27.00 ની ખૂબ જ નબળી સરેરાશથી માત્ર 270 રન જ બનાવી શક્યો. મયંક અગ્રવાલ આઈપીએલ 2023માં સનરાઈઝર્સ હૈદરાબાદમાં હતો પરંતુ તે ફ્લોપ સાબિત થયો હતો. આ ખરાબ પ્રદર્શનના આધારે કોઈ પણ આઈપીએલ ટીમ આવતા વર્ષે મયંક અગ્રવાલને સામેલ કરવા ઈચ્છશે નહીં. 

આ પણ વાંચો:
Oral Health : દાંત અને પેઢાને રાખવા હોય સ્વસ્થ તો આટલા દિવસ પછી બદલી દેવું ટુથ બ્રશ
Shani Vakri 2023: આ તારીખે શનિ થશે વક્રી, 139 દિવસ સુધી 3 રાશિઓને કરાવશે ફાયદો

રાશિફળ 01 જૂન: વૃષભ સહિત આ 3 રાશિવાળા માટે ભાગ્યશાળી છે આજનો દિવસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More