નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લિગ 2020 (IPL 2020) માટે ખેલાડીઓની નિલામીનો સમય નજીક આવી ગયો છે. આ નિલામી 19 ડિસેમ્બરે કોલકાતામાં થશે. આ નિલામી બપોરે થશે અને એમાં એક પછી એક 332 ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. આ ખેલાડીઓમાં 186 ભારતીય અને 146 વિદેશી ખેલાડી શામેલ છે. આ નિલામીની જવાબદારી બ્રિટનના હ્યુઝ એમીએડીસની છે. આ કંપની અત્યાર સુધી લગભગ 2500 હરાજી કરાવી ચુકી છે.
Kuldeep Yadav : અનોખી સિદ્ધિ મેળવનારો ભારતનો પ્રથમ બોલર બન્યો
આઇપીએલમાં કુલ 8 ફ્રેન્ચાઇઝી છે. આમાં પાંચ ટીમ કિંગ્સ XI પંજાબ, કોલકાતા નાઇટરાઇડર્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ તેમજ દિલ્હી કેપિટલ્સ વધારે ખેલાડીઓ પર બોલી લગાવશે. આ તમામ ટીમ પાસે 25 કરોડ રૂપિયા કરતા વધારે પર્સ બાકી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ, ચેન્નાઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં વધારે બદલાવની સંભાવના નથી. આઇપીએલની દરેક ટીમ માટે મહત્તમ મર્યાદા 82 કરોડ રૂપિયા છે. આમાંથી એ તેટલા જ પૈસા ખર્ચ કરી શકે છે જેટલા તેની પાસે બાકી છે.
'હિટમેન' રોહિતનો ફરી ધમાકોઃ જયસૂર્યાના રેકોર્ડની કરી બરાબરી, પોન્ટિંગ નવું નિશાન
આઇપીએલ 2020 (IPL 2020)ના ખાસ મુદ્દા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે