Home> Sports
Advertisement
Prev
Next

KKR vs SRH: આજે કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કેવી હોઈ શકે છે બંને ટીમની પ્લેઇંગ 11

Indian Premier League: આઈપીએલની 16મી સિઝનની 19મી લીગ મેચમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે મેચ જોવા મળશે. બંને ટીમોએ પોતાની પાછલી મેચો જીતી છે.

KKR vs SRH: આજે કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કેવી હોઈ શકે છે બંને ટીમની પ્લેઇંગ 11

Indian Premier League 2023:  IPLની 16મી સિઝનની 19મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાશે. બંને ટીમોએ તેમની છેલ્લી મેચ શાનદાર રીતે જીતી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનું આ સિઝનમાં અત્યાર સુધી શાનદાર ફોર્મ જોવા મળ્યું છે, જેમાં ટીમે અત્યાર સુધી રમાયેલી 3 મેચમાંથી 2માં જીત મેળવી છે. ટીમનો નેટ રન રેટ હાલમાં 1.375 છે.

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમની વાત કરીએ તો તેને પોતાની પ્રથમ 2 મેચમાં એકતરફી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ટીમ પોતાની ત્રીજી લીગ મેચમાં પંજાબ કિંગ્સને 8 વિકેટથી હરાવીને જીતનું ખાતું ખોલવામાં સફળ રહી. હૈદરાબાદ ટીમના નેટ રનરેટની વાત કરીએ તો તે -1.502 છે.

પિચ રિપોર્ટ

બંને ટીમો વચ્ચેની આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાશે. આ મેચમાં મોટો સ્કોર જોવા મળી શકે છે. આ મેદાન પર અત્યાર સુધી રમાયેલી 79 IPL મેચોમાંથી ટાર્ગેટનો પીછો કરતી ટીમ 47 વખત જીતી છે. આ સિવાય પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 162 રનની નજીક જોવા મળ્યો છે.

આ પણ વાંચો:
ગુજરાત સરકારે વિચારણા બાદ નવી જંત્રીનો ભાવ કર્યો જાહેર, 15 એપ્રિલથી નવી જંત્રી લાગુ
રાશિફળ 14 એપ્રિલ: આ 4 રાશિના લોકો પાર કરશે સફળતાના શિખરો, અધૂરા કામ પુરા થશે
અમેરિકામાં નોકરી છોડી ઉધાર પૈસા લઈને શરૂ કરી કંપની, આજે છે 10 હજાર કરોડના માલિક

સંભવિત પ્લેઈંગ 11

કોલકાતા નાઈટ રાઈડર્સ - રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), નારાયણ જગદીશન, વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.

સનરાઇઝર્સ હૈદરાબાદ - હેરી બ્રુક, મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, માર્કો યાનસીન, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, ઉમરાન મલિક, ટી નટરાજન.

મેચ પ્રિડીક્શન 

આ મેચના પરિણામની વાત કરીએ તો તેમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો પલડો ભરી જોવા મળી રહ્યો છે . આઈપીએલમાં અત્યાર સુધીમાં KKRની ટીમ હૈદરાબાદ સામે 23 મેચ રમી છે, જેમાં તેણે 15 મેચ જીતી છે અને જ્યારે માત્ર 8 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો:
આજથી આ રાશિઓના શરૂ થશે અચ્છે દિન, સૂર્ય દેવની કૃપાથી ચમકી જશે ભાગ્ય
તમારું ATM ક્યું છે Platinum કે Titanium, શું છે બંને કાર્ડ વચ્ચે શું હોય છે ફરક?

22 દેશમાં મચાવ્યો હાહાકાર હવે ભારત પહોંચ્યો કોરોનાનો ખતરનાક Arcturus Variant

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More