Home> Sports
Advertisement
Prev
Next

World Cup 2019 INDvPAK: જાણો વીરૂ અને શોએબ અખ્તરે આ મેચને લઈને શું કરી ભવિષ્યવાણી

ટીમ ઈન્ડિયાને હાલ તો આ મેચમાં જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે, કારણ કે વિશ્વકપમાં અત્યાર સુધી પાકિસ્તાન ક્યારેય ભારતને હરાવી શક્યું નથી. 

World Cup 2019 INDvPAK: જાણો વીરૂ અને શોએબ અખ્તરે આ મેચને લઈને શું કરી ભવિષ્યવાણી

નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વ કપમાં 16 જૂને માનચેસ્ટરમાં ઓલ્ડ ટ્રૈફર્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો રમાવાનો છે. આ મેચની રાહ વિશ્વ ભરના ફેન્સ જોઈ રહ્યાં છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ અને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે કેટલિક ભવિષ્યવાણી કરી છે. બંન્નેએ વીડિયો ચેટ પર વાત કરી અને આ વીડિયો યૂટ્યૂબ પર શેર કરવામાં આવ્યો છે. વીરૂએ સ્પષ્ટ કહ્યું કે, ભલે ગમે તે થાય પાકિસ્તાન 16 જૂને ન જીતી શકે, તો શોએબ અખ્તરનું મંતવ્ય અલગ છે. 

વીડિયો ચેટ દરમિયાન શોએબ અખ્તરે વીરેન્દ્ર સહેવાગને પૂછ્યું કે, આગામી મેચમાં ટોસ, કંડીશનને જોતા તમે કઈ ટીમને સપોર્ટ કરી રહ્યાં છો, તેના પર વીરુએ કહ્યું, 'હું તે માની શકતો નથી કે કોઈપણ કિંમત પર પાકિસ્તાનને 16 જૂને ભારત હરાવી શકે છે. તો શોએબ અખ્તરે કહ્યું, જો પાકિસ્તાન ટોસ જીતે તો તેને મેચ જીતવી જોઈએ. એટલું જ નહીં તેની સાથે ટૂર્નામેન્ટમાં આગળની સ્થિતિ સ્પષ્ટ થઈ જશે અને ઈંગ્લેન્ડ,ઓસ્ટ્રેલિયા અને ભારતમાંથી કઈ એક ટીમ વિશ્વ ચેમ્પિયન બનશે.'

ટીમ ઈન્ડિયા આ મેચમાં શિખર ધવન વિના રમવા ઉતરશે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં ધવનના અંગૂઠામાં ફ્રેક્ચર થઈ ગયું છે, ત્યારબાદ તે ઓછામાં ઓછો ત્રણ સપ્તાહ માટે બહાર થઈ ગયો છે. ધવનના બેકઅપ તરીકે રિષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શિખર ધવન ન હોવાથી ટીમ ઈન્ડિયાની આ પ્લેઇંગ ઇલેવન હોઈ શકે છે. રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, દિનેશ કાર્તિક, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, શમી, ચહલ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More