નવી દિલ્હી: આગામી ટી-20 વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરૂણ અને ફિલ્ડિંગ કોચ આર શ્રીધરનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. વિરાટની મુશ્કેલી વધવાની છે. બીસીસીઆઇ ભારતના પૂર્વ દિગ્ગજ લેગ સ્પિનર અનિલ કુંબલેને ફરી એકવાર ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનાવવા માંગે છે અને તેના માટે તેઓ તેમનો સંપર્ક કરવાની તૈયારીમાં છે. કુંબલેએ વર્ષ 2017 માં ટીમ ઇન્ડિયાના હેડ કોચના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ મીડિયા અહેવાલોમાં તેમના અને કોહલી વચ્ચે અણબનાવના સમાચાર સામે આવ્યા હતા. વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડ કપ 2021 બાદ ભારતીય ટી-20 ટીમથી કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી.
4 વર્ષ પહેલા કુંબલેએ હેડ કોચ પદ છોડ્યા બાદ કોહલીએ રવિ શાસ્ત્રીને તેની જગ્યા રિપ્લેસ કરવાનું સમર્થન કર્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા અનિવાર્ય પેનલની ભલામણોને પગલે કુંબલેને પરત લાવવાના માર્ગની શોધ કરવામાં આવી રહી છે. કોહલીએ ટી-20 ની કેપ્ટનશીપ છોડી દીધી હોવાથી, બીસીસીઆઈને ખાતરી છે કે ટીમને નવા કોચની જરૂર છે. ગુરુવારે કોહલીના રાજીનામા બાદ એક અખબારી યાદીમાં બીસીસીઆઈના સચિવ જય શાહે કહ્યું હતું કે બોર્ડ પાસે ટીમ ઈન્ડિયા માટે સ્પષ્ટ રોડમેપ છે.
IPL 2021: ધોની બાદ આ ખેલાડી બનશે CSK નો કેપ્ટન? જાડેજાના ટ્વીટથી મચ્યો હંગામો
એવું માનવામાં આવે છે કે BCCI ના વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલી ઇચ્છતા હતા કે કોહલીના મતભેદો હોવા છતાં 2017 માં કુંબલે આ પદ પર ચાલુ રહે. તે સમયે તેઓ BCCI ની ક્રિકેટ સુધારણા સમિતિ (CIC) ના સભ્ય હતા. કુંબલેને જૂન 2016 માં કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ભારત તેના કોચના નેતૃત્વમાં 2017 આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યું હતું. ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કુંબલે હાલમાં આઈપીએલ ફ્રેન્ચાઈઝી પંજાબ કિંગ્સના મુખ્ય કોચ છે. કુંબલેનો સંપર્ક કરતા પહેલા બીસીસીઆઈએ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને મુંબઈ ઈન્ડિયન્સના વર્તમાન કોચ મહેલા જયવર્દનેનો પણ સંપર્ક કર્યો હોવાનું માનવામાં આવે છે.
Thank you! pic.twitter.com/eF5qVzdBRj
— Anil Kumble (@anilkumble1074) June 20, 2017
રોહિત શર્મા નહીં આ ખેલાડી બનશે ટી20 નો નવો કેપ્ટન? ગાવસ્કરે જણાવ્યું મોટું કારણ
જોકે, જયવર્દને શ્રીલંકાની ટીમ અને આઈપીએલ ફ્રેન્ચાઈઝીને કોચિંગ આપવામાં રસ ધરાવે છે. બીસીસીઆઈના નવા બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિ એક સમયે બે પદ પર રહી શકે નહીં. જો કુંબલે બોર્ડમાં આવવા માટે સંમત થાય છે, તો તેણે આઈપીએલ સોંપણી છોડી દેવી પડશે. કુંબલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની ક્રિકેટ સમિતિના વડા પણ છે. 2016 માં કુંબલે કોચ બન્યા બાદ, થોડા દિવસો બાદ વિરાટ અને તેમની વચ્ચે મતભેદો ઉભરાવા લાગ્યા. પોતાના રાજીનામા પત્રમાં કુંબલેએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે કોહલીને તેની સ્ટાઇલ સામે વાંધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે