Vastu Tips For Broom: વાસ્તુ શાસ્ત્રમાં દરેક વસ્તુને લઈને ખાસ નિયમ બનાવવામાં આવ્યા છે. ઘરમાં જો આ વસ્તુઓને વાસ્તુ અનુસાર રાખવામાં આવે તો જીવનની અનેક સમસ્યાનું નિવારણ થઈ જાય છે. ખાસ કરીને સાવરણી રાખવાના નિયમનું પાલન હંમેશા કરવું જોઈએ. જો ઘરમાં સાવરણી સંબંધિત નિયમનું પાલન ન થતું હોય કે સાવરણીનો અનાદર થતો હોય તો વ્યક્તિને જીવનમાં દરિદ્રતા ભોગવવી પડે છે. સાવરણીનું અપમાન થતું હોય તો જીવનમાં અનેક સમસ્યા આવી પડે છે જેનું સમાધાન લાવવું પણ મુશ્કેલ છે. આજે તમને વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલા આવા જ મહત્વના નિયમો જણાવીએ.
સાવરણી સંબંધિત મહત્વના નિયમો
આ પણ વાંચો:
1. વાસ્તુ શાસ્ત્રમાં જણાવાયું છે કે ઘરમાં સાવરણીનો નિરાદર ક્યારેય કરવો નહીં. સાવરણી માં લક્ષ્મીનું જ પ્રતિક છે. તેથી સાવરણીને ક્યારેય પગ અડાડવો નહીં. જો ભુલથી ક્યારેય પગ અડી જાય તો તેને હાથ લગાવી ક્ષમા માંગવી.
2. ઘરમાં સાવરણીને ઊભી ન રાખો. સાવરણીને ઘરમાં સમ્માનપૂર્વક રાખવી જોઈએ. તેને હંમેશા આડી સુવડાવીને રાખવી જોઈએ. ઊભી સાવરણી જ્યાં હોય છે ત્યાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થતો નથી.
આ પણ વાંચો:
3. સાવરણીને ક્યારેય સામે ન રાખો. તેને હંમેશા છુપાવીને રાખો. બધાની નજરમાં આવે તે રીતે સાવરણી રાખવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે.
4. વાસ્તુ શાસ્ત્ર અનુસાર સાવરણીને હંમેશા દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. તેનાથી વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા વરસે છે. સાથે જ ક્યારેય આર્થિક સમસ્યા આવતી નથી.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે