Home> Spiritual
Advertisement
Prev
Next

10.6 ટન સોનું, 16 હજાર કરોડ રોકડા : ભારતના આ મંદિરની અધધ... છે સંપત્તિ

Tirupathi Temple Net Worth: મંદિરોમાં ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે. તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનામ (TTD) તરફથી શ્વેત પત્ર જારી કરવામાં આવ્યું છે, જેમાં રોકડ, ગોલ્ડ, જમા રકમ અને સંપત્તિની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. 

10.6 ટન સોનું, 16 હજાર કરોડ રોકડા : ભારતના આ મંદિરની અધધ... છે સંપત્તિ

Tirupathi Temple Net Worth: મંદિરોમાં ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે. તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનામ (TTD) તરફથી શ્વેત પત્ર જારી કરવામાં આવ્યું છે, જેમાં રોકડ, ગોલ્ડ, જમા રકમ અને સંપત્તિની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. આ લિસ્ટ પ્રમાણે તિરૂપતિ મંદિરની કુલ સંપત્તિ 2.26 લાખ કરોડ રૂપિયા છે. 

મંદિર પાસે કેટલું છે સોનું?
મંદિરની કુલ સંપત્તિમાં સોનાની વાત કરીએ તો તે આશરે 10.3 ટન છે. આ સંપત્તિ વિશે જાણકારી આપતા સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલા તે તમામ રિપોર્ટને નકારવામાં આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે TTD ના અધ્યક્ષ અને બોર્ડે આંધ્ર પ્રદેશ સરકાર અને ભારત સરકારના બોન્ડની સિક્યોરિટીઝમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. 

આ પણ વાંચો:
ભારત નજીક પહોંચ્યું બિપોરજોય વાવાઝોડું, સૌથી વધુ જોખમ તોળાઈ રહ્યું છે ગુજરાત પર
27 વર્ષ પછી ભારતમાં થશે 'મિસ વર્લ્ડ' સ્પર્ધાનું આયોજન, 130 દેશની યુવતીઓ લેશે ભાગ
Panchak: આજથી પંચક શરુ, 5 દિવસ દરમિયાન ન કરવા આ કામ, કરવાથી મળે છે અશુભ પરિણામ

fallbacks

ક્યાં જમા છે આ પૈસા?
TTD તરફથી આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. TTD તરફથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે મંદિરની વધારાની રકમ શિડ્યુલ્ડ બેંકોમાં રોકાણ કરવામાં આવી છે. તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમની કુલ સંપત્તિ 2.26 લાખ કરોડ રૂપિયા છે, જેમાં રાષ્ટ્રીયકૃત બેન્કોમાં 5300 કરોડથી વધુનું 10.3 ટન સોનું જમા છે. તો જમા રકમની વાત કરીએ તો તે આશરે 15,938 કરોડ રૂપિયા છે. 

3 વર્ષમાં કેટલું વધ્યું ગોલ્ડ?
તમને જણાવી દઈએ કે મંદિર ટ્રસ્ટની પાસે 2019માં આશરે 7.4 ટન સોનું જમા હતું. છેલ્લા 3 વર્ષમાં 2.9 ટન સોનાનો વધારો થયો છે. તો બેન્કોમાં જમા સોનાની વાત કરીએ તો તે વધીને 10.3 ટન થઈ ગયું છે. 

ક્યાંથી થાય છે આવક?
પ્રાપ્ત વિગત અનુસાર મંદિરની સંપત્તિ ભારતમાં આશરે 7123 એકરમાં ફેલાયેલી છે, જેમાં 960થી સંપત્તિઓ સામેલ છે. મંદિરમાં આ આવક ભક્તો, સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા દાનથી મળે છે. આ સિવાય ટ્રસ્ટે ભક્તોને વિનંતી કરી છે કે કોઈ પ્રકારનું જૂઠ ન ફેલાવે.

આ પણ વાંચો:
30000% ની તોફાની તેજી, 3 રૂપિયાના આ સ્ટોકે 1 લાખના બનાવ્યા 3 કરોડ રૂપિયા
આ એક ગુજરાતીના કારણે આ બે રાજ્યોમાં થાય છે બર્ડ સર્વે, ગાયક-વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીના

પનીર ખાતા પહેલા સાવધાન! શું તમે ખાતા નથીને નકલી પનીર? આ રીતે જાણો અસલી નકલીનો ભેદ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More