Home> Spiritual
Advertisement
Prev
Next

Surya Nakshatra Gochar: 2 ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે સૂર્ય, મેષ સહિત 3 રાશિનો ગોલ્ડન પિરિયડ શરુ થશે

Surya Nakshatra Gochar:આશ્લેષા નક્ષત્ર એક શક્તિશાળી નક્ષત્ર છે. આ નક્ષત્રમાં સૌથી શક્તિશાળી ગ્રહનો પ્રવેશ થતા તે વધારે ઉર્જાવાન બનશે. આ ગોચર ત્રણ રાશિના લોકોને સૌથી વધુ લાભ કરાવશે. આ ત્રણ રાશિના લોકો માટે 2 ઓગસ્ટ પછીનો સમય અતિ શુભ રહેશે.

Surya Nakshatra Gochar: 2 ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે સૂર્ય, મેષ સહિત 3 રાશિનો ગોલ્ડન પિરિયડ શરુ થશે

Surya Nakshatra Gochar: વૈદિક જ્યોતિષ અનુસાર બધા જ ગ્રહોમાં સૂર્ય સૌથી શક્તિશાળી અને મહત્વપૂર્ણ ગ્રહ છે. સૂર્યનું રાશિ પરિવર્તન જ નહીં પરંતુ સૂર્યનું નક્ષત્ર પરિવર્તન પણ દરેક રાશિને અસર કરે છે. 2 ઓગસ્ટ અને શુક્રવારે રાત્રે 10 કલાક અને 22 મિનિટે ગ્રહોના રાજા સૂર્ય પુષ્ય નક્ષત્રમાંથી નીકળી આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રનો સ્વામી ગ્રહ બુધ છે. 2 ઓગસ્ટે સૂર્યના નક્ષત્ર પરિવર્તન સાથે જ 3 રાશિના લોકોનું જીવન બદલી જશે.

આ પણ વાંચો: 11 ઓગસ્ટ 2024 થી 3 રાશિનું ભાગ્ય બુલંદીઓ પર હશે, વેપારમાં અને નોકરીમાં થશે મોટો લાભ

આશ્લેષા નક્ષત્ર એક શક્તિશાળી નક્ષત્ર છે. આ નક્ષત્રમાં સૌથી શક્તિશાળી ગ્રહનો પ્રવેશ થતા તે વધારે ઉર્જાવાન બનશે. આ ગોચર ત્રણ રાશિના લોકોને સૌથી વધુ લાભ કરાવશે. આ ત્રણ રાશિના લોકો માટે 2 ઓગસ્ટ પછીનો સમય અતિ શુભ રહેશે. તો ચાલો તમને જણાવીએ કઈ રાશિ માટે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન શુભ છે. 

સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી 3 રાશિને થશે લાભ

આ પણ વાંચો: સપ્તાહના આ દિવસે દૂધ ઉભરાય કે ઢોળાય તે સૌથી ખરાબ, જાણો આ અપશુકન ટાળવા શું કરવું ?

મેષ રાશિ 

મેષ રાશિ માટે સમય અનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓને સારી તક મળી શકે છે. નોકરી કરતા લોકોનો આત્મવિશ્વાસ વધશે અને તેઓ લક્ષને સરળતાથી પ્રાપ્ત કરી શકશે. નોકરી કરતા લોકોનો સહકર્મચારીઓ સાથે સારો તાલમેલ રહેશે. વેપારમાં વૃદ્ધિ થવાની સંભાવના છે આ સમય દરમિયાન ધન લાભના પણ યોગ બની રહ્યા છે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. 

આ પણ વાંચો: ઓગસ્ટ મહિનામાં આ રાશિઓ પર શનિ છે ભારે, 31 દિવસ હશે કભી ખુશી કભી ગમ જેવા

કર્ક રાશિ 

વૈચારિક દુવિધાઓનો અંત આવશે. માનસિક શાંતિ વધશે. ચિંતાથી મુક્તિ મળશે. કલા અને સાહિત્યના ક્ષેત્રમાં કામ કરતાં લોકોની લોકપ્રિયતા વધશે. નોકરી કરતા લોકોમાં નેતૃત્વ ક્ષમતા વધશે. ભાગીદારીમાં બિઝનેસ હશે તો લાભ થશે. વેપારનો વિસ્તાર પણ થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે સંબંધ સારા રહેશે. દાંપત્યજીવન સુખમય રહેશે. 

આ પણ વાંચો: ઘરમાં મની પ્લાંટ હોય તો શુક્રવારે તેમાં નાખો આ વસ્તુ, માતા લક્ષ્મી ભરશે ધનના ભંડાર

ધન રાશિ

વેપારમાં ધન લાભ થશે. નોકરીમાં સ્થિતિ લાભદાયક રહેશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. મિત્રો સાથે સંબંધ મજબૂત થશે. અટકેલા કામ ઝડપથી પૂર્ણ થશે. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય. માનસિક રીતે શાંતિ અને સ્થિરતા વધશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More