Lucky Rashi: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહનું વિશેષ મહત્વ હોય છે. આ ગ્રહોની કેટલીક પ્રિય રાશિ પણ હોય છે. એટલે કે આ રાશિ પર તે ગ્રહની વિશેષ કૃપા રહે છે. ગ્રહોના રાજા સૂર્યની વાત કરીએ તો સૂર્યની પણ એક પ્રિય રાશિ છે. જો આ રાશિના વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ઉચ્ચ સ્થાનમાં હોય તો તે વ્યક્તિને જીવનમાં ઘણા બધા લાભ થાય છે.
સૂર્ય કૃપા હોય તો જીવનમાં માન, સન્માન વધે છે અને સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. સાથે જ દરેક કાર્યમાં વ્યક્તિને સફળતા મળે છે. તો ચાલો તમને જણાવીએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યની પ્રિય રાશિ કઈ છે અને તેને કેવા ફાયદા થાય છે.
આ પણ વાંચો: Lemon Auction:આ મંદિરમાં ધરેલા લીંબુનો રસ પીવાથી સંતાનપ્રાપ્ત થતું હોવાની છે માન્યતા
સૂર્યની પ્રિય રાશિ
ગ્રહોના રાજા સૂર્યની પ્રિય રાશિ સિંહ છે. સિંહ રાશિ પર સૂર્યદેવની વિશેષ કૃપા હંમેશા રહે છે. સૂર્યદેવ સિંહ રાશિના સ્વામી ગ્રહ છે. આજ કારણ છે કે ગ્રહોના દેવતા સૂર્યની કૃપા સિંહ રાશિના લોકો પર હંમેશા રહે છે.
સિંહ રાશિ પર સૂર્યનો પ્રભાવ
આ પણ વાંચો: Rahu Shukra Yuti: મીન રાશિમાં શુક્ર અને રાહુનું થશે મિલન, કર્ક સહિત 4 રાશિને થશે લાભ
- સૂર્યદેવની કૃપાના કારણે સિંહ રાશિના લોકો ખૂબ જ ઈમાનદાર હોય છે. આ લોકો પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકાય છે.
- સૂર્યની કૃપાથી સિંહ રાશિના લોકો પોતાના કામોમાં નિપુણ હોય છે. તેઓ દરેક કાર્યને સારી રીતે કરવાનું જાણે છે.
- સૂર્યદેવની કૃપાથી સિંહ રાશિના લોકો જીવનના દરેક ક્ષેત્રમાં માન સન્માન પ્રાપ્ત કરે છે. સમાજમાં તેમની પ્રતિષ્ઠા પણ ખુબ જ સારી હોય છે.
આ પણ વાંચો: Vipreet Raj Yoga: 31 માર્ચથી 24 એપ્રિલ સુધીનો સમય 4 રાશિઓ માટે અતિશુભ, થશે ધન લાભ
સૂર્યદેવની કૃપા જે રાશિ પર હોય તે વ્યક્તિને આર્થિક પરેશાનીનો સામનો કરવો પડતો નથી. સિંહ રાશિ પર સૂર્યદેવની આવી જ કૃપા રહે છે. સિંહ રાશિના લોકો તેના જીવનમાં ક્યારેય કોઈપણ પ્રકારની તંગીમાં જીવન જીવતા નથી. સૂર્ય કૃપાથી તેમને દરેક પ્રકારની સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે