Home> Spiritual
Advertisement
Prev
Next

કઈ રાશિના જાતકોએ પહેરવો જોઈએ કયો રત્ન? તમારી રાશિનો રત્ન પહેરવાના ચમત્કારીક ફાયદા વિશે પણ જાણો

જો કોઈ જાતક રાશિ અનુસાર યોગ્ય રત્ન ધારણ કરે તો પોતાના ભવિષ્યમાં સુધારો લાવી શકે છે. પરંતુ જો ખોટો રત્ન ધારણ કર્યો તો નુકસાન પણ સહન કરવું પડી શકે છે.

કઈ રાશિના જાતકોએ પહેરવો જોઈએ કયો રત્ન? તમારી રાશિનો રત્ન પહેરવાના ચમત્કારીક ફાયદા વિશે પણ જાણો

નવી દિલ્લીઃ આપણા જીવનમાં ગ્રહોનું ઘણું મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્રમાં ક્યા ગ્રહની કેવી અસર પડે છે તે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિને જોઈને વ્યક્તિનું ભવિષ્ય પણ કહી શકાય છે. અને જો કોઈ જાતક રાશિ અનુસાર યોગ્ય રત્ન ધારણ કરે તો પોતાના ભવિષ્યમાં સુધારો લાવી શકે છે. પરંતુ જો ખોટો રત્ન ધારણ કર્યો તો નુકસાન પણ સહન કરવું પડી શકે છે. એટલે જ આજે વાત કરીશું રાશિ અનુસાર પહેરાતા રત્નોની.

મેષ (Aries): (અ, લ, ઈ)
મેષ રાશિનો સ્વામી મંગળ છે. અને તેનો રત્ન મૂંગા છે. જે દેખાવમાં મોતી જેવા લાલ રંગનો હોય છે.  જેમની કુંડળીમાં મંગળના કારણે અશુભ યોગ બનતો હોય તેમને આ રત્ન પહેરવાની સલાહ આપવામાં આવે છે. મૂંગા ધારણ કરવાથી શારીરિક-માનસિક બળ, ધન મળે છે. સંબંધોમાં સુધાર આવે છે.

વૃષભ (Taurus): (બ, વ, ઉ)
વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. જેનું રત્ન હીરો છે. આ હીરો વૃષભ રાશિના લોકોની આકર્ષણની શક્તિ વધારે છે. સાથે જ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓનું પણ સમાધાન કરે છે. હીરો શુક્ર ગ્રહને બળવાન બનાવે છે.

મિથુન (Gemini): (ક, છ, ઘ)
મિથુન રાશિનો સ્વામી બુધ છે. જેનો રંગ લીલો છે. જેથી મિથુન રાશિના લોકોએ લીલા રંગનો પન્ના પહેરવો જોઈએ. પન્ના બુધને બળ આપે છે. જેનાથી સારું સ્વાસ્થ્ય મળે છે અને પ્રગતિ થાય છે.

કર્ક (Cancer) : (ડ, હ)
કર્ક રાશિનો સ્વામી ગ્રહ ચંદ્ર છે. જેનું રત્ન મોતી છે. એટલે જ કર્ક રાશિના જાતકો માટે મોતી પહેરવાનું શુભ માનવામાં આવે છે. જેનાથી માનસિક શાંતિ અને સુખ-સુવિધાઓ મળે છે.

સિંહ (Leo) : (મ, ટ)
સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. જેથી તેમણે માણિક્ય રત્ન ધારણ કરવો જોઈએ. આ રત્ન ધારણ કરવાની બિઝનેસમાં લાભ, સારું સ્વાસ્થ્ય અને પ્રસિદ્ધી મળે છે. 

કન્યા (Virgo): (પ, ઠ, ણ)
કન્યા રાશિનો સ્વામી પણ બુધ છે. જેથી તેમના માટે પન્ના શુભ છે. પન્ના ધારણ કરવાની આત્મ વિશ્વાસ, ધન વૈભવ અને સારું સ્વાસ્થ્ય મળે છે.

તુલા (Libra): (ર, ત)
તુલા રાશિનો ગ્રહ શુક્ર છે. જેનું રત્ન હીરો છે. એટલે તુલા રાશિના જાતકોએ હીરો પહેરવો જોઈએ. જેનાથી તેમની આકર્ષણ શક્તિ વધે છે અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.

વૃશ્ચિક (Scorpio): (ન, ય)
આ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. અને મંગળનો રંગ લાલ હોય છે. જેથી આ રાશિના જાતકોએ લાલ રંગનો મૂંગા રત્ન પહેરવો જોઈએ. જેનાથી તમને પર્સનલ અને પ્રોફેશનલ સફળતા મળે છે.

ધન (Sagittarius): (ભ, ધ, ફ, ઢ)
ધન રાશિનો સ્વામી ગ્રહ ગુરુ છે અને ગુરુનો રંગ પીળો હોય છે. જેથી ધન રાશિના જાતકોને પીળો પોખરાજ પહેરવાની સલાહ આપવામાં આવે છે.

મકર (Capricorn): (ખ, જ)
મકર રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. જેથી મકર રાશિના જાતકોને નીલમ રત્ન પહેરવાની સલાહ આપવામાં આવે છે. જેનાથી તેમના આર્થિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ લાભ થાય છે. સાથે યશ, કીર્તિ અને આત્મવિશ્વાસ મળે છે.

કુંભ (Aquarius): (ગ, શ, ષ)
કુંભ રાશિનો સ્વામી ગ્રહ પણ શનિ છે. જેના કારણે તેમણે નીલમ રત્ન ધારણ કરવાનો રહે છે. જેનાથી તેમને લાભ થાય છે.

મીન (Pisces): (દ, ચ, ઝ, થ)
મીન રાશિના સ્વામી બે ગ્રહો છે. શનિ અને રાહુ. આ રાશિના જાતકો પીળો પોખરાજ, મોતી કે મૂંગા પહેરી શકે છે. મીન રાશિના જાતકોએ ક્યો રત્ન ધારણ કરવો તેનો આધાર તેમની કુંડળી પર રહે છે.

(Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More