Home> Spiritual
Advertisement
Prev
Next

Astro Tips: વારંવાર ખિસકોલીનું દેખાવું શુભ કે અશુભ ? જાણો ખિસકોલી ઘરમાં આવે તો તે કઈ વાતનો હોય છે સંકેત

Astro Tips: ઘણા પ્રાણીઓ એવા હોય છે જેમનું દેખાવું વ્યક્તિને આવનારા સમયમાં થનાર શુભ કે અશુભ ઘટનાઓનો સંકેત આપે છે. આવું જ એક પ્રાણી છે ખિસકોલી. શાસ્ત્રો અનુસાર જો તમને વારંવાર ખિસકોલી જોવા મળે છે તો તે ખાસ સંકેતો હોઈ શકે છે.

Astro Tips: વારંવાર ખિસકોલીનું દેખાવું શુભ કે અશુભ ? જાણો ખિસકોલી ઘરમાં આવે તો તે કઈ વાતનો હોય છે સંકેત

Astro Tips: જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્ર બંનેમાં એવા ઘણા પક્ષી અને પ્રાણીઓના મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘણા પ્રાણીઓ એવા હોય છે જેમનું દેખાવું વ્યક્તિને આવનારા સમયમાં થનાર શુભ કે અશુભ ઘટનાઓનો સંકેત આપે છે. આવું જ એક પ્રાણી છે ખિસકોલી. શાસ્ત્રો અનુસાર જો તમને વારંવાર ખિસકોલી જોવા મળે છે તો તે ખાસ સંકેતો હોઈ શકે છે. આજે તમને જણાવીએ કે ખિસકોલી જોવી શુભ છે કે અશુભ અને તે શું સંકેત કરે છે. 

ખિસકોલી દેખાવી શુભ કે અશુભ?

આ પણ વાંચો: Ramlala: કૃષ્ણા નદીમાંથી મળી રામલલ્લાની મૂર્તિ જેવી જ વિશેષતા ધરાવતી પ્રાચીન મૂર્તિ

ઘરના આંગણામાં ખિસકોલી દેખાવી એ શુભ સંકેત માનવામાં આવે છે. તેનાથી લાભ થાય છે અને સૌભાગ્ય વધે છે. આંગણામાં ખિસકોલી આવે તો તેનો અર્થ એ પણ થાય છે કે તમને જલ્દી કોઈ સારા સમાચાર મળવાના છે અથવા તમારી કોઈ ઈચ્છાઓ પૂરી થવા જઈ રહી છે.

વારંવાર ખિસકોલીનું ઘરમાં આવવું

જો ખિસકોલી વારંવાર તમારા ઘરમાં આવે છે તો તેનો અર્થ એ છે કે તમારા ઘરે નાનકડું મહેમાન આવી શકે છે. એટલે કે તમને સંતાનપ્રાપ્તિના આશીર્વાદ મળી શકે છે. ઘરમાં દરરોજ ખિસકોલીનું આગમન થાય છે તેનો અર્થ એ છે કે તમારા ઘર પર દેવી લક્ષ્મી પોતાની કૃપા વરસાવશે.

​આ પણ વાંચો: Karj Mukti Upay: બસ આ એક ઉપાય કાફી છે... ઉધારી અને કરજના ચક્કરમાંથી આવી જશો બહાર

રસોડામાં ખિસકોલીનું આવવું

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરના રસોડામાં ખિસકોલી આવી જાય તો તેને અતિ શુભ સંકેત માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં તેનો અર્થ થાય છે કે તમારે જીવનમાં ક્યારેય અન્નની તંગીનો સામનો કરવો નહીં પડે.

સ્વપ્નમાં ખિસકોલી દેખાવી

જો કોઈ વ્યક્તિ વહેલી સવારે સપનામાં ખિસકોલી જુએ છે તો તેનો અર્થ એ છે કે તમારો દિવસ સારો જશે. જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. સ્વપ્નમાં ખિસકોલી આવે તેનો અર્થ થાય છે કે ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે.

​આ પણ વાંચો: હળદરના આ અચૂક ઉપાયો કોઈને પણ બનાવી શકે ધનવાન, કરવાની સાથે જ ઘરમાં વધવા લાગશે આવક

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More