Home> Spiritual
Advertisement
Prev
Next

ગુરુવારે કરેલાં આ 5 કામો તમારા મૃત્યુલોકને બનાવશે સ્વર્ગલોક! જાણો કયો રંગ કરાવશે મોટો લાભ

Guruwar Ke Upay: જો વિધિવિધાનને આધિન રહીને ગુરુવારે ચુસ્તપણે નિયમિત રીતે અહીં દર્શાવેલાં કામો કરવામાં આવે તો ભગવાન વિષ્ણુની કૃપાથી આર્થિક સંકટ હંમેશા માટે દૂર થઈ જાય છે એવું જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે.

ગુરુવારે કરેલાં આ 5 કામો તમારા મૃત્યુલોકને બનાવશે સ્વર્ગલોક! જાણો કયો રંગ કરાવશે મોટો લાભ

Guruwar Ke Upay: હિન્દુ ધર્મમાં ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ સંસારના સંચાલક છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો ચાલો તમને ગુરુવારના રોજ કરવામાં આવતા કેટલાક ઉપાયો વિશે જણાવીએ. આ ઉપાયો કરવાથી ધનની સમસ્યાઓ, કરજ, જીવનસાથી સાથેના સંબંધો અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દુર થશે. ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે તમે ગુરુવારે વ્રત રાખી શકો છો. આ દિવસે આખો દિવસ વ્રત રાખવાથી ભગવાનની કૃપાથી તમારા કામ પૂરા થાય છે. જો તમે આખો દિવસ ઉપવાસ ન રાખી શકો તો તમે દિવસમાં માત્ર એક જ વાર ભોજન પણ ખાઈ શકો છો. ખાસ કરીને અહીં દર્શાવવામાં આવેલાં પાંચ કામો જો તમે નિયમિત રીતે ગુરુવારના દિવસે કરશો તો તમારા માટે આ મૃત્યુલોક પણ સ્વર્ગલોક બની શકે છે એવું જ્યોતિષ શાસ્ત્રોમાં કહેવાયું છે. 

ગુરુવારે કરો આ પાંચ કામ, બદલાઈ જશે જીવનઃ
1. પ્રમોશન કે નોકરીમાં આવતી બાધાઓ દૂર કરવા માટે ગુરુવારે કોઈ મંદિરમાં પીળી વસ્તુ, ખાદ્ય સામગ્રી કે કપડાનું દાન કરવું. આ ઉપાય કરવાથી લગ્ન થવામાં નડતી બાધાાઓ પણ દૂર થાય છે. 

2. ઘરની દરિદ્રતા દૂર કરવી હોય તો ગુરુવારે ઘરના સભ્યોએ ખાસ કરીને મહિલાઓએ વાળ ધોવા નહીં અને નખ કાપવા નહીં.

3. વિવાહમાં વિલંબ થતો હોય તો ગુરુવારનું વ્રત કરવું અને પીળા કપડા ધારણ કરવા અને ભોજનમાં પણ પીળી વસ્તુનું સેવન કરવું.

4. સ્વાસ્થ્ય સમસ્યા ચાલતી હોય તો ગુરુવારે મંદિરમાં હળદરની માળા રાખવી અને લક્ષ્મી નારાયણને લાડૂનો ભોગ ધરાવવો.

5. ગુરુવારે કેળાના ઝાડમાં જળ અર્પણ કરી અને શુદ્ધ ઘીનો દીવો કરી ગુરુના 108 નામનું ઉચ્ચારણ કરવું. તેનાથી જીવનસાથી સાથેના વિવાદ દૂર થાય છે. 

પીળી વસ્તુઓનું દાન કરો-
દાનને હિંદુ ધર્મ સૌથી મોટું પુણ્ય માનવામાં આવે છે. તમે ગુરુવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન, કપડાં અથવા પૈસા દાન કરી શકો છો. એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં સોનું, હળદર, ચણા, પીળા ફળ અને ગોળ જેવી પીળી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ ગણાય છે.

પીળા કપડાં પહેરો-
ગુરુવારે પીળો રંગ પહેરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પીળા રંગના વસ્ત્રો પહેરી શકાય છે. જો તમે પીળા કપડા નથી પહેરી શકતા તો પીળા રંગનો રૂમાલ અથવા કોઈપણ કપડું તમારી સાથે રાખી શકો છો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More