Home> Spiritual
Advertisement
Prev
Next

શનિવારે આ વસ્તુ દેખાય તો સમજજો શનિદેવ આપી રહ્યા છે સારા સંકેત, થશે લાભ

Shanidev Upay: શનિવારનો દિવસ શનિ દેવને સમર્પિત છે. આ દિવસે શનિ દેવની પૂજા-વ્રત વગેરે કરવાથી જલદી પ્રસન્ન થાય છે અને ભક્તો પર અપાર કૃપા વરસે છે. માન્યતા છે કે શનિદેવ જ્યારે કોઇનાથી પ્રસન્ન થાય છે, તો તેમને કેટલાક સંકેત આપે છે.

શનિવારે આ વસ્તુ દેખાય તો સમજજો શનિદેવ આપી રહ્યા છે સારા સંકેત, થશે લાભ

Shanidev Remedies: શનિવારે શનિ દેવની પૂજાનું વિધાન છે. હિંદુ ધર્મમાં અનુસાર જ્યારે કોઇ દેવી-દેવતા કોઇ સાધકથી પ્રસન્ન અથવા નારાજ થાય છે, તો તેને ઘણા પ્રકારના સંકેત આપે છે. જ્યોતિષશાસ્ત્રના અનુસાર વ્યક્તિનો સારો સમય શરૂ થતાં પહેલાં તેને ઘણા પ્રકારના સંકેત મળે છે. તો બીજી તરફ ખરાબ સમય શરૂ થતાં પહેલાંથી સંકેત મળવાનું શરૂ થાય છે. જો સમય રહેતા આ સંકેતોને સમજી લેવામાં આવે, તો જીવનમાં આવનાર સમસ્યાઓથી બચી શકાય છે. એવામાં આજે અમે તમને જણાવીશું એવા સંકેતો વિશે જે શનિવારના દિવસે દેખાય તો તેને શુભ ગણવામાં આવે છે. શનિ દેવને પ્રસન્ન થવાના સંકેત આપે છે આ વસ્તુઓ... 

શનિવારના દિવસે આ વતુઓ દેખાવવી હોય છે શુભ
- જ્યોતિષ શાસ્ત્રના અનુસાર શનિવારના દિવસે જો રસ્તામાં ઘોડાની નાળ દેખાય જાય, તો સમજી લો કે આગામી સમયમાં શુભ સંકેત છે. તેને ઘરે લાવીને નાળ લગાવી દો. તેનાથી તમારા પર શનિદેવની કૃપા બની રહેશે અને જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થશે. 

આ પણ વાંચો: ઇલાયચીના આ ઉપાયોથી દૂર થશે નોકરીની સમસ્યા તથા આર્થિક તંગી, મળશે પ્રગતિ
આ પણ વાંચો: મોત બાદ યમલોકો સુધી કેવી રીતે પહોંચે છે આત્મા, જાણો કેટલા દિવસ લાગે છે?

- શનિવારના દિવસે કાગડો દેખાય તો શુભ ગણવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રના અનુસાર જો તમને શનિવારના દિવસે કાગડો પાણી પીતો જોવા મળે, તો તેનો અર્થ છે કે તમને ખૂબ જલદી શુભ સમાચાર મળવાના છે. કહેવામાં આવે છે કે આજના દિવસે ઘરની છત પર કાગડો બેઠેલો દેખાવવો પણ શુભ ગણવામાં આવે છે. 

- માન્યતા છે કે આ દિવસે સવારના સમયે કાળો કુતરો દેખાવવો શુભ ગણવામાં આવે છે. તો બીજી તરફ આ કુતરો શનિ મંદિર પાસે દેખાય છે, તો તેને ખાવાની કોઇ વસ્તુ અથવા પછી રોટલી જરૂર આપો. તેનાથી કૃપા બની રહેશે.

આ પણ વાંચો: વર્ષ 2023 ના પ્રથમ દિવસે જ કરો આ જ્યોતિષીય ઉપાય, આખુ વર્ષ નહી સર્જાય પૈસાની તંગી
આ પણ વાંચો: Guru Margi 2022: માર્ગી ગુરૂ કરાવશે જોરદાર લાભ,ધન પ્રાપ્તિ માટે કરી લો આ ઉપાય

- શનિવારના દિવસે અચાનકથી પીપળાનું ઝાડ દેખાવવું પણ શુભ સંકેત ગણવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમારા પર શનિદેવની કૃપા છે. તેનાથી તમને કાર્યોમાં સફળતા મળશે. 

- શનિવારના દિવસે કોઇ ભિક્ષુક અથવા નિર્ધન વ્યક્તિનું ઘરના દરવાજા પર આવવું શુભ ગણવામાં આવે છે. કહેવાય છે કે આજના દિવસે કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથ પરત ફરવું ન જોઇએ. તેનાથી શનિદેવની કૃપા હંમેશા બની રહે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More