Home> Spiritual
Advertisement
Prev
Next

આ ત્રણ રાશિઓની શરુ થઈ શનિ સાડાસાતી, 2025 સુધી રહેશે તકલીફો; જાણો તેનાથી બચવાના ઉપાય

Shani Gochar 2023: જ્યારે પણ શનિ રાશિ પરિવર્તન કરે છે, ત્યારે તે તમામ 12 રાશિઓને અસર કરે છે. જાન્યુઆરી 2023 માં, શનિ ગોચર કરી મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં આવ્યો છે અને 2025 સુધી રહેવાથી, તે 3 રાશિના લોકોને ભારે મુશ્કેલી આપશે.
 

આ ત્રણ રાશિઓની શરુ થઈ શનિ સાડાસાતી, 2025 સુધી રહેશે તકલીફો; જાણો તેનાથી બચવાના ઉપાય

Shani Gochar 2023 to 2025: વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, શનિને ન્યાયના દેવતા કહેવામાં આવે છે કારણ કે તે કર્મો અનુસાર ફળ આપે છે. શનિ સૌથી ધીમી ગતિ સાથે અઢી વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. આ વર્ષે, 17 જાન્યુઆરી, 2023 ના રોજ શનિએ ગોચર કરીને તેના મૂળ ત્રિકોણ ચિહ્ન કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. શનિએ 30 વર્ષ પછી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. હવે શનિ 29 માર્ચ 2025 સુધી કુંભ રાશિમાં રહેશે. આ દરમિયાન શનિની સાડાસાતી 3 રાશિઓ પર ચાલશે અને આ લોકોને ઘણું દુઃખ અને નુકસાન સહન કરવું પડી શકે છે. તેથી, આ 3 રાશિના લોકોએ 2 વર્ષનો સમય ખૂબ જ કાળજીપૂર્વક પસાર કરવો પડશે.

આ 3 રાશિવાળાઓએ 2025 સુધી સાવધાન રહેવું જોઈએ

કુંભ રાશિ 
શનિ કુંભ રાશિમાં હોવાને કારણે આ રાશિના જાતકો માટે શનિની સાડાસાતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. 2025 સુધી સાડાસાતી દરમિયાન, આ લોકોને સખત મહેનત કરવા છતાં પણ અપેક્ષિત પરિણામ નહીં મળે. સાથે જ સંબંધો પર પણ ખરાબ અસર પડશે. ગુસ્સા પર નિયંત્રણ રાખવો જોઈએ.

મકર રાશિ
2025 સુધીમાં મકર રાશિના લોકો શનિની સાડાસાતીના ત્રીજા અને છેલ્લા તબક્કાનો સામનો કરશે. જો કે સાડાસાતીનો ત્રીજો તબક્કો પ્રમાણમાં ઓછો પીડાદાયક હોય છે, તેમ છતાં આ લોકોએ વ્યવહારમાં સાવચેતી રાખવી જોઈએ અને સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ.

મીન રાશિ
2025 સુધી મીન રાશિના લોકો માટે શનિની સાડાસાતીનો પ્રથમ ચરણ ચાલુ રહેશે. આ સમય આ લોકોના ખર્ચમાં વધારો કરશે. વિદેશ જવાની તક મળશે. નાણાકીય સમસ્યાઓ થઈ શકે છે. જીવનસાથી સાથે સંબંધ બગડી શકે છે. આ બાબતમાં સાવચેત રહો અને તમારા પાર્ટનરને સમય આપો.

આ પણ વાંચો:
ગુજરાત સરકારનું દેવું 4 લાખ કરોડને પાર, 1 વર્ષમાં 24 હજાર કરોડ વધ્યું
લંડન સે આયા શિવભક્ત : વિદેશી પોલીસ અધિકારીએ ભારતીયની જેમ મંદિરમાં પૂજા કરી
શું મહિન્દ્રાની કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? એકવાર વાંચી લેજો આ રીપોર્ટ

શનિની સાડાસાતીથી રાહત મેળવવાના ઉપાય

જો કે શનિ સાડાસાતી દરમિયાન એ લોકોને વધુ મુશ્કેલી આપે છે જેમની કુંડળીમાં શનિ કમજોર એટલે કે નબળી સ્થિતિમાં હોય અથવા જેમના કર્મો ખરાબ હોય. જેઓ ગરીબ અને લાચાર લોકોની મદદ કરે છે. જેઓ કૂતરા અને પક્ષીઓને ખોરાક આપે છે તેમના પર શનિ હંમેશા દયાળુ રહે છે. શનિની સાડાસાતી દરમિયાન કષ્ટોથી મુક્તિ મેળવવા માટે શનિવારે કેટલાક ઉપાય કરવાથી ખૂબ જ ફાયદા થાય છે.

- દર શનિવારે શનિદેવને સરસવનું તેલ ચઢાવવુ.
- દર શનિવારે સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો.
- શનિ દોષ ઘટાડવા માટે શનિવારે લોખંડની વસ્તુઓ, કાળા કપડાં, કાળી અડદની દાળ, સરસવનું તેલ, ચંપલ વગેરેનું દાન કરવુ જોઈએ.
- શનિવારે માછલીઓને લોટ ખવડાવો. પક્ષીઓને ખવડાવો. તેનાથી કુંડળીમાં શનિનો પ્રભાવ ઓછો થશે.

આ પણ વાંચો:
બેંકમાં નોકરી કરવાની સોનેરી તક, મળશે એક લાખથી વધુ પગાર, જલ્દી કરો અરજી
ક્યારથી શરૂ થશે ચૈત્રી નવરાત્રી? જાણો ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત, તમામ વિગતો
આ ઘરગથ્થુ નુસખા સામે નહીં ચાલે Blackheads ની જીદ, એકવારમાં જ થઈ જશે દુર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More