Home> Spiritual
Advertisement
Prev
Next

ઘરમાં ધન આકર્ષિત કરે છે રોટલીના આ ઉપાય, વેપારમાં થવા લાગશે નફો અને નોકરીમાં મળશે પ્રમોશન

Roti Ke Upay 2023 : જ્યોતિષમાં ગ્રહો અને નક્ષત્રોનું ખૂબ જ વિશેષ મહત્વ છે. ખાસ કરીને જ્યારે ગ્રહ બદલે છે ત્યારે વ્યક્તિના જીવનમાં તેની અસર વધારે જોવા મળે છે. ગ્રહોની બદલતી ચાલના કારણે વ્યક્તિના જીવનમાં ક્યારેક દુ:ખ તો ક્યારેક સુખ રહે છે. આ રીતે ઊભા થયેલા ગ્રહો અને નક્ષત્રોના દોષને દુર કરવા માટે ઘણા ઉપાયો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો ખૂબ જ ફળદાયી સાબિત થાય છે. 

ઘરમાં ધન આકર્ષિત કરે છે રોટલીના આ ઉપાય, વેપારમાં થવા લાગશે નફો અને નોકરીમાં મળશે પ્રમોશન

Roti Ke Upay 2023 : જ્યોતિષમાં ગ્રહો અને નક્ષત્રોનું ખૂબ જ વિશેષ મહત્વ છે. ખાસ કરીને જ્યારે ગ્રહ બદલે છે ત્યારે વ્યક્તિના જીવનમાં તેની અસર વધારે જોવા મળે છે. ગ્રહોની બદલતી ચાલના કારણે વ્યક્તિના જીવનમાં ક્યારેક દુ:ખ તો ક્યારેક સુખ રહે છે. આ રીતે ઊભા થયેલા ગ્રહો અને નક્ષત્રોના દોષને દુર કરવા માટે ઘણા ઉપાયો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો ખૂબ જ ફળદાયી સાબિત થાય છે. 

આજે તમને આવો જ એક ઉપાય જણાવીએ જ રોટલી સંબંધિત છે. રોટલીના આ ઉપાયોને કરવાથી જીવનમાં આવેલી અડચણ અને સમસ્યાનું નિવારણ થઈ જાય છે. આજે તમને રોટલીના આવા જ કેટલાક ઉપાયો વિશે જણાવીએ જેને કરવાથી કુંડળીના ગ્રહો દોષ દુર થાય છે. 

રોટલીના આ ચમત્કારી ઉપાયો

આ પણ વાંચો:

શુક્રવારથી શરુ થશે મહાલક્ષ્મી વ્રત, વ્રત દરમિયાન કરેલા આ ટોટકા ધનથી ભરી દેશે તિજોરી

પુરુષોના આ હાથ પર બાંધવી નાડાછડી, આ દિવસે બાંધવાથી પર્સ રહે છે રુપિયાથી ભરેલુ

ગુરુવારે કરેલો આ મહાઉપાય તમને બનાવી શકે છે કરોડપતિ, અઢળક ધન-સમૃદ્ધિના બનશો માલિક

1. પિતૃ દોષ અને ગૃહ કલેશ માટે

જ્યોતિષ શાસ્ત્રમાં જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃ દોષ હોય તો અમાવસ્યાના દિવસે ચોખાની ખીર બનાવો અને તે ખીરને રોટલી પર રાખીને કાગડાને ખવડાવો. તેનાથી તમને પિતૃ દોષમાંથી મુક્તિ મળશે. બીજી બાજુ, જો તમારા ઘરમાં હંમેશા ઝઘડાની સ્થિતિ રહે છે, તો રસોઈ બનાવતી વખતે પ્રથમ રોટલી કૂતરાને ખવડાવો. તેનાથી ઘરમાં શાંતિ જળવાઈ રહેશે.

2. આર્થિક સમસ્યા દુર કરવા

જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો રોટલીમાં ખાંડ નાખીને કીડીઓને ખવડાવો. તેનાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમને આર્થિક સંકટમાંથી મુક્તિ મળશે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તો રોટલી ખાતા પહેલા માતા ગાયને ખવડાવો.

3. ગ્રહ દોષોથી મુક્તિ માટે

જો તમે તમારી કુંડળીમાં ગ્રહ દોષોથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો રોટલીમાં ત્રણ પ્રકારની દાળ જેમ કે અરહર, મસૂર અને અડદની દાળ રાખો અને માતા ગાયને ખવડાવો. આ સાથે તમને તેની અસર જોવા મળશે.

4. નોકરી-વેપારમાં પ્રગતિ માટે

જો તમારે નોકરી અને ધંધામાં પ્રગતિ કરવી હોય તો માછલીઓને રોટલીના ટુકડા ખવડાવો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More