Home> Spiritual
Advertisement
Prev
Next

જો જો આ તહેવારોમાં રોટલી ના બનાવતા નહીંતર મા અન્નપૂર્ણા થશે નારાજ, થશે આર્થિક નુકસાન

Roti ke Totke: શાસ્ત્ર અનુસાર જ્યારે રસોડામાં કેટલાક નિયમોનું પાલન થતું નથી તો જીવનમાં સમસ્યાઓ આવે છે અને ઘરમાં દરિદ્રતા રહે છે. આવા જ કેટલાક નિયમ રોટલી સંબંધિત છે.

જો જો આ તહેવારોમાં રોટલી ના બનાવતા નહીંતર મા અન્નપૂર્ણા થશે નારાજ, થશે આર્થિક નુકસાન

Roti ke Totke: જ્યોતિષશાસ્ત્રમાં ભોજન બનાવવાની લઈને ઘણા બધા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શાસ્ત્ર અનુસાર જ્યારે રસોડામાં કેટલાક નિયમોનું પાલન થતું નથી તો જીવનમાં સમસ્યાઓ આવે છે અને ઘરમાં દરિદ્રતા રહે છે. આવા જ કેટલાક નિયમ રોટલી સંબંધિત છે. તમે એવું ઘણી વખત સાંભળ્યું હશે કે અગિયારસ હોય ત્યારે ઘરમાં ભાત ન બનાવો. આવી જ રીતે કેટલાક એવા ખાસ અવસર હોય છે જ્યારે ઘરમાં રોટલી પણ બનાવી નહીં. જ્યારે તમે આ તહેવારો ઉપર પણ રોટલી બનાવો છો ત્યારે માતા અન્નપૂર્ણા નારાજ થાય છે અને ઘરની બરકત જતી રહે છે. 

Thursday: શ્રાવણના ગુરૂવારે સાંજે કર્યો જો આ ઉપાય તો સોના-ચાંદીથી ભરાઇ જશે તિજોરી
સ્કૂલના ગર્લ્સ ટોયલેટમાં લગાવ્યા CCTV કેમેરા, જોતાં જ ચોંકી ગઇ વિદ્યાર્થીનીઓ અને...

આ તહેવારો પર ઘરમાં ન બનાવો રોટલી
1. દેશભરમાં દિવાળીનો તહેવાર ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે. દરેક ઘરમાં પણ દિવાળીની ઉજવણી માતા લક્ષ્મીની પૂજા કરીને કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જ્યારે દિવાળીનો તહેવાર હોય ત્યારે ઘરમાં રોટલી બનાવી નહીં. કારણ કે આ દિવસે ઘરમાં પકવાન બનાવવા જોઈએ. ખાસ કરીને પૂરી, હલવો બનાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

મહિલાની સામે છે 2 પુરુષ, તેના અસલી પતિને ઓળખો, મોટા મોટા સૂરમાને આવી ગયા ચક્કર
Gum Bleeding: પેઢાંમાંથી લોહી નિકળે છે તો ગભરાશો નહી, ઘરે જ કરો આ 4 ઉપાય

2. ઘરમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો તે દિવસે પણ રોટલી બનાવીને ભોજન કરવું નહીં. શાસ્ત્રો અનુસાર મૃતકના ઘરમાં તેના તેરમાની વિધિ પછી જ રોટલી બનાવવી જોઈએ. જે ઘરમાં આ નિયમનું પાલન થતું નથી ત્યાં અશુભ પરિણામ ભોગવવા પડે છે.

3. શરદ પૂર્ણિમાનો દિવસ પણ એવો છે જ્યારે રોટલી બનાવવાથી પાપ લાગે છે. શરદપૂર્ણિમાના દિવસે ચંદ્ર પોતાની સોળે કળા સાથે ખીલે છે. આ દિવસે ઘરમાં ખીર બનાવીને તેને ચંદ્રના પ્રકાશમાં રાખીને ખાવી જોઈએ. આ દિવસે રોટલી બનાવવાથી અપશુકન થાય છે.

મંગળની મહાદશામાં 7 વર્ષ સુધી ભયંકર પીડા વેઠે છે વ્યક્તિ, બચવાનો એક માત્ર ઉપાય!
સ્વાસ્થ્ય-પરિશ્રમમાં કોઈ પણ પ્રકારની ઉણપ ન રાખો, વક્રી શનિ આપશે મહેનતનું ફળ

4. નાગપંચમી નો દિવસ પણ એવો હોય છે જ્યારે ઘરમાં ચૂલા સળગાવવાની મનાઈ હોય છે. આ દિવસે પણ ઘરમાં રોટલી બનાવી નહીં. શાસ્ત્રો અનુસાર તવાને નાગના ફેણનું પ્રતીક માનવામાં આવે છે. તેથી આ દિવસે તવો ગરમ કરીને તેના પર રોટલી બનાવવાની મનાઈ હોય છે.

49 રૂપિયાના શેરે બનાવ્યા માલામાલ,એક્સપર્ટ પણ આપી રહ્યા છે જોરદાર રોકાણની સલાહ
Viral Video: Chicken Curry માંથી નિકળ્યો મરેલો ઉંદર, એક ભાગ ખાધા પછી... બાપ રે...બાપ

5. શીતળા સાતમના દિવસે પણ ઘરમાં રોટલી બનાવવી જોઈએ નહીં. આ દિવસે માતા શીતળા ની પૂજા થાય છે અને માતાને વાસી ભોજનનો ભોગ ચડાવવામાં આવે છે. તેથી આ દિવસે ઘરમાં રોટલી સહિત કોઈ પણ વસ્તુ બનાવવી જોઈએ નહીં.

Twitter ને ટક્કર આપવા આવી ગઇ Insta એપ Threads લોન્ચ, જાણો કેટલી છે અલગ
ટોયલેટમાં વીડિયો બનાવીને આવું કામ કરે છે આ છોકરી, જોરદાર થાય છે કમાણી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More