Home> Spiritual
Advertisement
Prev
Next

Rahu Transit 2023: રાહુનું ગોચર આ ત્રણ રાશિઓ પર કરશે સૌથી વધુ અસર, જાણો તમારી રાશિ પર કેવો પડશે પ્રભાવ

Rahu Transit 2023: 30 ઓક્ટોબરે સાંજે રાહુ મીન રાશિમાં પ્રવેશ કરશે. રાહુના આ રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત થશે. તો કેટલીક રાશિના લોકો માટે સાવધાન રહેવાનો સમય શરૂ થશે. રાહુના રાશિ પરિવર્તન પછી તેનો પ્રભાવ 2025 સુધી યથાવત રહેશે. મે 2025 સુધી રાહુ ત્રણ રાશીના લોકોને સફળતા સમૃદ્ધિ અને સુખ આપશે. 

Rahu Transit 2023: રાહુનું ગોચર આ ત્રણ રાશિઓ પર કરશે સૌથી વધુ અસર, જાણો તમારી રાશિ પર કેવો પડશે પ્રભાવ

Rahu Transit 2023: સમયાંતરે ગ્રહોનું રાશિ પરિવર્તન થતું જ રહે છે. આગામી થોડા જ દિવસોમાં ખૂબ જ મહત્વપૂર્ણ રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. આ રાશિ પરિવર્તન છે રાહુ ગ્રહનું. રાહુ ગ્રહ મેષ રાશિમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કરશે. રાહુ ગ્રહનું રાશિ પરિવર્તન દરેક રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. 

30 ઓક્ટોબરે સાંજે રાહુ મીન રાશિમાં પ્રવેશ કરશે. રાહુના આ રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત થશે. તો કેટલીક રાશિના લોકો માટે સાવધાન રહેવાનો સમય શરૂ થશે. રાહુના રાશિ પરિવર્તન પછી તેનો પ્રભાવ 2025 સુધી યથાવત રહેશે. મે 2025 સુધી રાહુ ત્રણ રાશીના લોકોને સફળતા સમૃદ્ધિ અને સુખ આપશે. તો ચાલો તમને જણાવીએ એ ત્રણ રાશિ કઈ છે જેમને મેં 2025 સુધી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થવાની છે.

આ પણ વાંચો:

Shani Upay: મહેનત કર્યા પછી પણ નથી મળતું ફળ? શનિવારે કરો આ 3 કામ, મળશે ધન અને સફળતા

સૂર્ય ગ્રહણ સાથે ત્રિગ્રહી યોગ, આ 5 રાશિના લોકોની લાગશે લોટરી, અચાનક મળશે ધન

રવિવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ, ગરબાની સ્થાપના માટે આ 46 મિનિટનો સમય શુભ

મેષ રાશિ

મેષ રાશિના લોકોના જીવનમાંથી દરેક સમસ્યા દૂર થવા લાગશે. આ રાશિના લોકો પોતાના કામ પૂરા થતા જોશે અને ધનની આવક પણ વધશે. આ રાશિના લોકોને વિદેશ યાત્રા કરવાની તક પણ મળી શકે છે આ સમય દરમિયાન ધર્મના કામોમાં પણ ભાગ લેશો.

વૃષભ રાશિ

આ રાશિના લોકોને પણ રાહુનું રાશિ પરિવર્તન શુભ ફળ આપશે. જોકે આ રાશિના લોકોએ એકલા ચાલવાને બદલે લોકોની સાથે રહેવાની આદત પાડવી જોઈએ. કાર્ય સ્થળ પર મહેનતનું ફળ પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન કોઈપણ વ્યક્તિ માટે ખરાબ વચન બોલવાનું ટાળવું. રાજકીય ક્ષેત્રમાં સક્રિય લોકોને સફળતા પ્રાપ્ત થશે. શત્રુઓ પરાજીત થશે

મિથુન રાશિ

આ રાશિના લોકોને રાહુ શુભ ફળ આપશે પરંતુ એ વાત ધ્યાનમાં રાખવી કે મહેનત જ તમારા માટે સફળતાના દરવાજા ખોલશે. આ સમય દરમિયાન કાર્યક્ષેત્રમાં બદલાવ થઈ શકે છે. શક્ય છે કે નોકરીમાં પ્રમોશન કે ટ્રાન્સફર મળે. તમે તમારી મહેનતના કારણે કાર્ય સ્થળ પર તમારી સ્થિતિ સુધારશો કાર્ય સ્થળ પર તમારા કાર્યની પ્રશંસા થશે. આ સમય દરમિયાન તમે દરેક પડકારને પાર કરીને સફળ થશો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More