Home> Spiritual
Advertisement
Prev
Next

બે શક્તિશાળી ગ્રહો બનાવશે 'દુર્લભ' રાજયોગ, 3 રાશિવાળાને વિચાર્યું પણ નહીં હોય તેવો બંપર ધનલાભ થશે

બુધ ગ્રહ હાલ ધનુ રાશિમાં ભ્રમણ કરે છે અને 18 જાન્યુઆરીના રોજ શુક્ર ગ્રહ પણ ધનુ રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી લક્ષ્મી નારાયણ રાજયોગ બનશે. આ રાજયોગનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું ભાગ્ય પલટાઈ શકે છે. તેમને વેપાર, કરિયરમાં  લાભ મળી શકે છે. જાણો કોણ છે તે લકી રાશિઓ....

બે શક્તિશાળી ગ્રહો બનાવશે 'દુર્લભ' રાજયોગ, 3 રાશિવાળાને વિચાર્યું પણ નહીં હોય તેવો બંપર ધનલાભ થશે
Updated: Jan 11, 2024, 10:27 AM IST

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે અન્ય ગ્રહો સાથે યુતિ બનાવીને શુભ અને રાજયોગનું નિર્માણ કરતા હોય છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળતો હોય છે. અત્રે જણાવવાનું કે બુધ ગ્રહ હાલ ધનુ રાશિમાં ભ્રમણ કરે છે અને 18 જાન્યુઆરીના રોજ શુક્ર ગ્રહ પણ ધનુ રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી લક્ષ્મી નારાયણ રાજયોગ બનશે. આ રાજયોગનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું ભાગ્ય પલટાઈ શકે છે. તેમને વેપાર, કરિયરમાં  લાભ મળી શકે છે. જાણો કોણ છે તે લકી રાશિઓ....

મેષ રાશિ

લક્ષ્મી નારાયણ રાજયોગ મેષ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિના નવમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. આથી આ સમય તમને ભાગ્યનો સાથ મળી શકે છે. આ સાથે જ તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે. આ સમયગાળામાં તમે તમારા પાર્ટનર સાથે સારો સમય વિતાવશો. તમારી શીખવાની ક્ષમતામાં વધારો થશે. દેશ વિદેશમાં મુસાફરી કરી શકો છો. જે શુભ  રહેશે. વિદ્યાર્થીઓ માટે શુભ સાબિત થશે. 

કુંભ રાશિ
લક્ષ્મી નારાયણ રાજયોગ તમારા માટે અનુકૂળ સિદ્ધ થશે. કારણ કે આ રાજયોગ તમારી ગોચર કુંડળીમાં આવકના સ્થાન પર બની રહ્યો છે. આથી આ સમય દરમિયાન તમારી આવકમાં ખુબ વધારો થઈ શકે છે. આ સાથે જ આ સમય દરમિયાન બનાવેલી નાણાકીય યોજના તમારા માટે ભવિષ્યમાં ખુબ સારી સાબિત થશે. તમને પ્રયત્નોમાં સફળતા મળશે. રોકાણથી લાભ થશે. વેપારી વર્ગને નવી ડીલ થઈ શકે છે. જે લાભકારી નીવડશે. નોકરીયાતો માટે પણ કરિયરને લઈને ખુબ સારો સમય છે. કોઈ વિદેશી ડીલથી લાભ થશે. 

ધનુ રાશિ
આ રાજયોગ તમારી રાશિના લગ્ન  ભાવમાં બની રહ્યો છે. આથી આ સમય દરમિયાન તમારા વ્યક્તિત્વમાં નીખાર આવશે. તમારા જીવનસાથી સાથે સંબંધ સારા થશે. એક બીજાની વધુ નજીક આવશો. પરીણિતો વચ્ચે સંબંધ આ દરમિયાન પહેલા કરતા સારા  થશે. અપરિણીતોને વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે. દૈનિક આવકમાં વધારો થશે. જે લોકો ભાગીદારીમાં ધંધો  કરે છે તેમને આ સમયગાળામાં લાભ થવાના યોગ છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે