Mercury Saturn Transit 2023: જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો તમામ ગ્રહો નિયમિત રીતે પોતાની રાશિમાં ફેરફાર કરે છે. તેમના આ ગોચરનો તમામ 12 રાશિઓ પર પ્રભાવ પડે છે. આ ગોચરથી કેટલીક રાશિઓનું ભાગ્ય ખુલી જાય છે જ્યારે કેટલાકને મુસીબતો આવી પડે છે. હવે ગ્રહોના રાજકુમાર બુધ અને ન્યાયના દેવતા શનિ 18 સપ્ટેમ્બરથી રાશિ પરિવર્તન પર નીકળી ચૂક્યા છે. આ ગોચરના કારણે કુંડળીમાં દુર્લભ ધનરાજયોગ બન્યો છે. જેનાથી 3 રાશિવાળાનું ભાગ્ય પલટાઈ જશે. એક મહિના સુધી માતા લક્ષ્મીના ભરપૂર આશીર્વાદ રહેશે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...
મેષ રાશિ
તુલા રાશિ
આ ધન રાજયોગથી તમારા ઘરમાં ધનનો પ્રવાહ વધવા જઈ રહ્યો છે. તમે તમારું કઈક નવું કામ શરૂ કરી શકો છો. કર્મના દાતા શનિદેવ કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવીને તમારી કુંડળીના પાંચમા ભાવમાં છે. જ્યારે બુધ દેવ તમારી રાશિમાં લાભના સ્થાને બેઠા છે. આ બંનેના સંયોગથી તમે ચારે બાજુથી ધનલાભ મેળવશો. સંતાન તરફથી પણ સારા સમાચાર મળી શકે છે.
વૃષભ રાશિ
આ રાશિના નોકરીયાતો માટે સુવર્ણ સમય આવી ગયો છે. જે લોકો જોબ બદલવાનું વિચારી રહ્યા છે તેમને એક મહિનાની અંદર નવી જોબની ઓફર મળી શકે છે. પરિવારમાં સુખ અને શાંતિનો માહોલ રહેશે. માતાને જૂની બીમારીમાંથી ધીરે ધીરે રાહત મળશે. તમારી આવકના નવા સ્ત્રોત સર્જાશે. પરિવાર સાથે ક્યાંક ફરવાનો પ્લાન બનાવી શકો છો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે