Home> Spiritual
Advertisement
Prev
Next

Mangal Gochar 2023: 22 મહિના પછી સ્વરાશિમાં છે મંગળ, 3 રાશિના લોકો કમાશે કરોડો, સમાજમાં વધશે નામના

Mangal Gochar 2023: મંગળ ગ્રહે પોતાની રાશિ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કર્યો છે. આ સમય દરમિયાન કેટલીક રાશિઓ પર મંગળની વિશેષ કૃપા રહેશે. આ રાશિના લોકો આ રાશિ પરિવર્તનથી સંપત્તિ અને નામના કમાશે.  

Mangal Gochar 2023: 22 મહિના પછી સ્વરાશિમાં છે મંગળ, 3 રાશિના લોકો કમાશે કરોડો, સમાજમાં વધશે નામના

Mangal Gochar 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમયે રાશિ પરિવર્તન કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહનું પોતાનું મહત્વ છે. જેમાં મંગળ ગ્રહ હિંમત અને બહાદુરીનો કારક ગ્રહ છે. મંગળ ગ્રહ 45 દિવસ પછી એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. આ મહિનાની 16 તારીખે મંગળ ગ્રહે પોતાની રાશિ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કર્યો છે. આ સમય દરમિયાન કેટલીક રાશિઓ પર મંગળની વિશેષ કૃપા રહેશે. આ રાશિના લોકો આ રાશિ પરિવર્તનથી સંપત્તિ અને નામના કમાશે.  

આ પણ વાંચો: દેવઉઠી એકાદશીના એક દિવસ પછી થાય છે તુલસી વિવાહ, જાણો ઘરે તુલસી વિવાહ કરવાની વિધિ

તુલા રાશિ 

મંગળનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ તુલા રાશિના લોકો માટે શુભ સાબિત થશે. મંગળ આ રાશિના ધન સ્થાનમાં ગોચર કરશે. જેના કારણે તેમની સંપત્તિમાં જબરદસ્ત વધારો થશે. એટલું જ નહીં મંગળના ગોચરની અસરના કારણે તુલા રાશિના લોકોને નવા વર્ષમાં પ્રગતિ મળવાની શક્યતાઓ છે. જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. નવા કામમાં તમને સારો લાભ મળશે. તમને આ સમયે પૈસા બચાવવામાં સફળતા મળશે.  

આ પણ વાંચો: આ રીતે પૂજા કરી પીપળાનું પાન રાખો પર્સમાં, નોટોથી ભરેલું રહેશે પર્સ, મળશે અઢળક ધન

સિંહ રાશિ 

મંગળ ગ્રહનું ગોચર સિંહ રાશિના લોકોને સાનુકૂળ પરિણામ આપશે. આ રાશિ પરિવર્તન તમારી રાશિના ચોથા ભાવમાં થયું છે. આ સમયે તમે વાહન અને મિલકત ખરીદી શકો છો. આ સમય દરમિયાન કરવામાં આવેલ રોકાણ ભવિષ્યમાં લાભ આપશે.  આ રાશિના લોકો પૈસા અને સંપત્તિની દ્રષ્ટિએ ભાગ્યશાળી રહેશે. પૈસા કમાવવાની ઈચ્છા પૂરી થશે. અટકેલા કામ પૂરા થશે.  

આ પણ વાંચો: Astro Tips: 5 શુભ યોગમાં ઉજવાશે દેવ ઉઠી એકાદશી, આ ઉપાય કરવાથી મેળવશો સુખ-સમૃદ્ધિ

મીન રાશિ

મંગળનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ મીન રાશિના લોકોને વિશેષ લાભ કરાવશે. કરિયર અને બિઝનેસની દ્રષ્ટિએ આ સમય તમારા માટે શુભ સાબિત થશે. મીન રાશિના લોકોને સમયે કારકિર્દી અને વ્યવસાયમાં વિશેષ પરિણામો મળશે. નોકરીયાત લોકોને આ સમયગાળા દરમિયાન પ્રમોશન મળી શકે છે. જો તમે બિઝનેસમેન છો તો તમે કામને આગળ લઈ જશો. પિતાનો સહયોગ મળશે. બેરોજગાર લોકોને આ સમયે નોકરીની ઓફર મળી શકે છે.

આ પણ વાંચો: Budh Gochar: 27 નવેમ્બરથી આ રાશિઓનો ગોલ્ડન પીરિયડ થશે શરુ, ચારેતરફથી થશે ધન લાભ

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More