Home> Spiritual
Advertisement
Prev
Next

Mangalvar Upay: મંગળવારે ભૂલથી પણ ન કરો આ 5 કામ, બાકી હનુમાનજીના ગુસ્સાથી બરબાદ થઈ જશે પરિવાર

Tuesday Remedies: આજે મંગળવાર છે. આ દિવસે તમારે ભૂલથી પણ અમુક કામ ન કરવા જોઈએ. નહીં તો ભગવાન હનુમાન ક્રોધિત થઈ શકે છે, જેની કિંમત તમારે તમારી સંપત્તિ અને પરિવાર ગુમાવીને ચૂકવવી પડી શકે છે.
 

Mangalvar Upay: મંગળવારે ભૂલથી પણ ન કરો આ 5 કામ, બાકી હનુમાનજીના ગુસ્સાથી બરબાદ થઈ જશે પરિવાર

Tuesday Remedies: સનાતન ધર્મમાં, અઠવાડિયાના સાત દિવસોને એક અથવા બીજા દેવતાની પૂજાના દિવસ તરીકે ગણવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળવારને ભગવાન હનુમાન અને મંગળનો દિવસ માનવામાં આવે છે. મંગળને ઉગ્ર માનવામાં આવે છે, તેથી મંગળને શાંત કરવા માટે આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવામાં આવે છે. આ સાથે જ આવા ઘણા કામો છે, જેને આ દિવસે કરવાની મનાઈ કરવામાં આવી છે. આજે અમે તમને એવા 5 કાર્યો વિશે જણાવીશુ જે તમારે ભૂલથી પણ મંગળવારે ન કરવા જોઈએ, નહીં તો તમારા જીવનમાં ઉથલપાથલ મચી શકે છે..

મંગળવારના ઉપાય

વાળ અને નખ કાપશો નહીં
જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે મંગળવારે માથાના વાળ અને નખ ભૂલથી પણ ન કાપવા જોઈએ. તેમજ શેવિંગ પણ ન કરવું જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે લોકો આ નિયમોનું પાલન નથી કરતા, તેમને તેમના જીવનમાં બુદ્ધિ અને પૈસાની ખોટ સહન કરવી પડે છે.

કાળા કપડાં ન પહેરો
મંગળવારે કાળા રંગના કપડાં પહેરવા વર્જિત માનવામાં આવે છે. કહેવાય છે કે આમ કરવાથી જીવનમાં દુ:ખનો સંચાર થાય છે અને પૈસાના સ્ત્રોત સુકાઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે મંગળવારે નારંગી અને લાલ રંગના કપડાં પહેરવા જોઈએ. તેનાથી મંગળ દોષની અસર ઓછી થાય છે. 

આ પણ વાંચો:
PM મોદીના કારણે  પુતિન બદલશે રણનીતિ? G20 બેઠકમાં ભાગ લેવા આવી શકે છે ભારત
Board Exam: ધોરણ-10 અને 12ના લાખો વિદ્યાર્થીઓ માટે પરીક્ષા અંગે સૌથી મોટા સમાચાર
આ છે અમદાવાદ નજીકની જન્નત જેવી જગ્યાઓ, સાથે પ્રિયમ હોય કે પરિવાર બધાને પડશે મોજ

ઉધાર ન આપો
ધાર્મિક વિદ્વાનોનું કહેવું છે કે મંગળવારે લોનની લેવડદેવડ ટાળવી જોઈએ. આમ કરવાથી ધનની હાનિ થાય છે અને નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે, જેના કારણે પરિવાર ધીમે ધીમે ગરીબ થવા લાગે છે.

કોસ્મેટિક્સ ખરીદવું અશુભ 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે કોઈ પણ મહિલા કે છોકરીએ મેકઅપની વસ્તુઓ ન ખરીદવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વિવાહિત જીવનમાં તિરાડ આવવા લાગે છે અને ઘરેલું વિખવાદ વધવા લાગે છે, જેના કારણે પરિવાર તૂટતા સમય નથી લાગતો.

માંસ અને દારૂથી દૂર રહો
મંગળવારને સનાતન ધર્મમાં સાત્વિક દિવસ તરીકે ગણવામાં આવે છે. તેથી, આ દિવસે વ્યક્તિએ માંસાહારી અને શરાબ-સિગારેટથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ. જો તમે આવું ન કરો તો ભગવાન બજરંગ બલી તમારાથી નારાજ થઈ શકે છે. જેના કારણે તમારા બધા ચાલુ કામ બગડવા લાગે છે.

આ પણ વાંચો:
અમદાવાદ સહિત ગુજરાતના ભૂતિયા સ્થળો, જ્યાંથી લોકો ગાયબ થઇ ગયા હોવાના પણ છે કિસ્સા
રાશિફળ 14 માર્ચ: આ જાતકોને ગ્રહગોચર કરાવશે ભરપૂર ફાયદો, સુખ સંપત્તિ વધશે

નાની ઉંમરે પૂનમ પાંડેએ કર્યો હતો એવો કાંડ કે માતાનો પડ્યો હતો માર, લોકો છે દિવાના!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More