Marriage Problem: કેટલાક લોકોને લગ્ન (Marriage) કરવામાં વારંવાર મુશ્કેલીઓ પડતી હોય છે. ક્યારેક લગ્ન થતા-થતા તૂટી જાય છે. તો કોઈ અન્ય કારણથી મનગમતો સાથી (Life Partner) જ નથી મળતો. આ લોકો માટે જ્યોતિષ (Astrology) માં અમુક ઉપાયો આપવામાં આવ્યા છે. આજે અમે તમને જ્યોતિષની રત્ન શાસ્ત્ર વિદ્યામાં જણાવવામાં આવેલા એ ઉપાયો વિશે જાણકારી આપીશું જે ચમત્કારિક પરિણામો આપે છે.
આવો હોય છે ટોપાઝ-
ગુરૂ ગ્રહનો પ્રતિનિધિ રત્ન પોખરાજનું જ એક રૂપને ટોપાઝ. પોખરાજ પીળો, વાદળી અને સફંદ રંગનો હોય છે. સામાન્ય રીતે ગુરૂ ગ્રહને મજબૂત કરવા માટે પીળા રંગનો પોખરાજ પહેરવાની સલાહ આપવામાં આવે છે. વાદળી રંગનો પોખરાજ એટલે કે ટોપાઝ રત્ન પણ ખૂબ અસરકારક હોય છે. ખાસ કરીને પોતાનો પ્રેમ પામવા માટે અને લગ્ન કરવામાં પડી રહેલી મુશ્કેલીઓન દૂર કરવામાં ટોપાઝ ચમત્કારિક પરિણામ આપે છે. આ ઉપરાંત પણ ટોપાઝ રત્ન પહેરવાથી ઘણા લાભ થાય છે. જો કે આ રત્ન પણ બીજા રત્નોની જેમ કોઈ વિશેષજ્ઞની સલાહ લઈને પણ પહેરવો જોઈએ,,,
જાણો ટોપાઝ રત્ન પહેરવાના ફાયદાઃ
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડિયા આની પુષ્ટી કરતુ નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે