Home> Spiritual
Advertisement
Prev
Next

Laxmi Narayan Yog: મિથુન રાશિમાં શરુ થયો લક્ષ્મી નારાયણ યોગ, ચમકી જશે આ 3 રાશિની કિસ્મત, રોકાણથી થશે ડબલ લાભ

Laxmi Narayan Yog: પંચાંગ અનુસાર 12 જૂને સાંજે શુક્ર ગ્રહએ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર પછી 14 જુને રાત્રે ગ્રહોના રાજકુમાર બુધએ પણ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. મિથુન રાશિમાં શુક્ર અને બુધની યુતિથી લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થયું છે. આ યોગથી ત્રણ રાશિના લોકોને અત્યંત લાભ થવાના છે. આ ત્રણ રાશિ માટે ગોલ્ડન પિરિયડ શરૂ થઈ ગયો છે. 

Laxmi Narayan Yog: મિથુન રાશિમાં શરુ થયો લક્ષ્મી નારાયણ યોગ, ચમકી જશે આ 3 રાશિની કિસ્મત, રોકાણથી થશે ડબલ લાભ

Laxmi Narayan Yog: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ જ્યારે તેની ચાલ બદલે છે તો તેનો પ્રભાવ 12 રાશિના લોકો પર પડે છે. રાશિ પરિવર્તનના કારણે કેટલીક વખત શુભ અને અશુભ યોગોનું નિર્માણ પણ થતું હોય છે. જૂન મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ મહત્વનો છે કારણ કે આ મહિનામાં કેટલાક ગ્રહનું રાશિ પરિવર્તન થયું છે અને તેના કારણે કેટલાક દુર્લભ યોગ પણ સર્જાયા છે. 

મિથુન રાશિમાં બન્યો લક્ષ્મી નારાયણ યોગ 

આ પણ વાંચો: ઘરની ઉત્તર દિશામાં ન હોવી જોઈએ આ 5 વસ્તુઓ, ઘરમાં વધશે નકારાત્મકતા અને ગરીબી

પંચાંગ અનુસાર 12 જૂને સાંજે શુક્ર ગ્રહએ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર પછી 14 જુને રાત્રે ગ્રહોના રાજકુમાર બુધએ પણ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. મિથુન રાશિમાં શુક્ર અને બુધની યુતિથી લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થયું છે. આ યોગથી ત્રણ રાશિના લોકોને અત્યંત લાભ થવાના છે. આ ત્રણ રાશિ માટે ગોલ્ડન પિરિયડ શરૂ થઈ ગયો છે. 

આ પણ વાંચો: જૂના કપડા કોઈને આપો તે પહેલા કરી લેવું આ કામ, નહીં તો પહેરેલા કપડાનું દાન ભારે પડશે

મિથુન રાશિ 

લક્ષ્મી નારાયણ યોગ મિથુન રાશિમાં જ સર્જાયો છે. તેથી આ રાશિના લોકો માટે આ સમય અતિ શુભ છે. આવકના નવા સોર્સ બનશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે. રોકાણ કરવા માટે પણ સમય સારો ભવિષ્યમાં સારા પરિણામ મળી શકે છે પારિવારિક સંબંધ મજબૂત થશે. પરિવાર સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે. 

આ પણ વાંચો: આ કુંડનું પાણી કરે ભવિષ્યવાણી, જ્યારે બદલે પાણીનો રંગ ત્યારે કાશ્મીર પર આવે મુસીબત

સિંહ રાશિ

મિથુન રાશિમાં જે લક્ષ્મી નારાયણ યોગ બન્યો છે તે સિંહ રાશિના લોકોને શુભ સમાચાર આપશે. નોકરી સંબંધિત સમસ્યાઓનો અંત આવશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. વેપારીઓને સારી ડીલ મળી શકે છે. નફામાં વધારો થશે. દાંપત્યજીવનની સમસ્યાઓ દૂર થશે 

આ પણ વાંચો: 16 જૂને ગંગા દશેરાથી આ રાશિઓ માટે બદલશે સમય, 3 રાજયોગ ધનથી ભરી દેશે તિજોરી

કન્યા રાશિ 

મિથુન રાશિમાં બનેલો લક્ષ્મી નારાયણ યોગ આ રાશિના લોકોને ડબલ ફાયદો કરાવશે. અટકેલા કામ પુરા થવા લાગશે અને કાર્યમાં સફળતા મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે અથવા તો સેલેરીમાં વધારો થશે. માનસિક ચિંતામાંથી મુક્તિ મળશે અને મન પ્રસન્ન રહેશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More